________________
૨૩
ભાવકર્મ
( ૧૧ થી -
S
waya essesses
-
R
૧. સકષાય-અકષાય
મન, વચન તથા કાયાના વેગથી થતી જ્ઞાતૃત્વ, કતૃત્વ તથા ભેતૃત્વરૂપ આપણું સર્વ પ્રવૃત્તિઓને “કર્મ” કહેવામાં આવે છે. સામાન્ય દૃષ્ટિથી જોતાં આ કર્મ અવશ્ય છે, પરંતુ કર્મસિદ્ધાંતની દૃષ્ટિએ જોતાં તે પ્રધાન કમ નથી. એનું કારણ એ છે કે સ્વયં કર્મરૂપ હોવા છતાં એ જીવને માટે બંધનકારી નથી. તત્ક્ષણ સમાપ્ત થઈ જવાને કારણે તેના દ્વારા બીજ-વૃક્ષ ન્યાયયુક્ત પૂર્વોક્ત સંસ્કારપરંપરાનું નિર્માણ થતું નથી. સંસ્કારપરંપરાનું કારણ વાસ્તવમાં પ્રવૃત્તિ નથી પણ તે કષાય કે સ્વાર્થ છે, જેની પ્રેરણાથી વ્યક્તિ કર્મમાં પ્રવૃત્ત થાય છે. જે પ્રકારે ધૂળમાં રમવાથી કપડાં પર ધૂળ અવશ્ય ચૂંટે છે; પરંતુ જો કપડું પરસેવાથી ભીનું ન હોય તે સૂકા કપડાં પર પડેલી ધૂળ ચુંટતી નથી, એ પ્રકારે મન-વચન-કાયાની પ્રવૃત્તિથી કમ અવશ્ય થાય છે ખરું, છતાં જે ચિત્તમાં કષાયની કે સ્વાર્થની કાલિમાં નહિ હોય તે ચિત્તભૂમિ પર અથવા કામણ શરીર પર તેના સંસ્કાર અંકિત થતા નથી. કદાચ થાય તે પણ એટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org