________________
કર્મવિધાન
૧૩૭ છે તે સર્વ તેમાં ગર્ભિત છે. કારણ કે સર્વ દશ્યમાન પદાર્થ છે તે સર્વે કાં તે આજે કેઈનું શરીર છે અથવા પહેલાં કોઈનું શરીર હતા. જીવાત્મા દ્વારા ત્યજાયેલા એ સર્વ ભૌતિક અથવા જડ પદાર્થોના રૂપમાં ગ્રહણ કરે છે. પરંતુ તેને પૂર્વ ઇતિહાસ જેવાથી પત્તો લાગે છે કે તે સર્વે પહેલાં કેઈ ને કોઈ શરીર અવશ્ય હતા. જેમ કે લાકડું, ગાદી, ફર્નિચર વગેરે વનસ્પતિનાં મૃતક શરીર છે. અને મહેલ, મકાન, કે મશીન, આભૂષણ, વસ્ત્ર, પેટ્રોલ વગેરે સર્વ પૃથ્વીકાયનાં મૃત શરીર છે.
આ પ્રકારે પંચભૌતિક નામથી પ્રસિદ્ધ જે કઈ પદાર્થ આપણું જીવનમાં પ્રાપ્ય છે તે સર્વે જીવતા શરીરની જેમ શરીર છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા ગ્રહણ કરેલાં હોવાથી તેના સંગ તથા વિયેગને લીધે આપણી સર્વ પ્રવૃત્તિઓને પ્રારંભ થાય છે તેથી આપણી પ્રવૃત્તિઓ કારણ છે. અને પ્રવૃત્તિઓ કારણ હોવાથી કર્મ છે. પરંતુ કર્મ હોવા છતાં પણ સંસ્કારને સંગ્રહ કરવામાં અસમર્થ હોવાથી અને કર્મ કિંચિત્ કર્મ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org