________________
શરીર
૧૩૧ કરી શકીએ છીએ. તેના પર જેવા સંસ્કાર અંક્તિ થાય છે તેવા સંસ્કાર આપણે મન દ્વારા વિચારીએ છીએ, તેવું વચન આપણે બેલીએ છીએ અને તેવું જ કામ શરીર દ્વારા કરીએ છીએ. તે જ પ્રમાણે જ્ઞાનેન્દ્રિ દ્વારા આપણે -જાણીએ છીએ અને કર્મેન્દ્રિ દ્વારા આપણે કરીએ છીએ અને અંતઃકરણ દ્વારા આપણે ભેગવીએ છીએ.
ભૂત, વર્તમાન તથા ભવિષ્યમાં ત્રણે કાળે આપણાં મન, વચન, કાયાની તથા તેના બાહ્યાભંતર સર્વ અંગેપાંગની, તેની સમસ્ત પ્રવૃત્તિઓની, તેને યેન કે ઉપગની, તેના જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા ભેતૃત્વની વાહક કે પરિચાલક સર્વ કુછ કાર્મણ નામની એ ઉપચેતના છે. તેજસ શરીરની સમસ્ત કાર્યવાહી તેની પ્રેરણાથી થાય છે. ભલે પિતાની સૂક્ષ્મતાને કારણે ઉપચેતના સ્વભાવી આ કામણું શરીર દશ્યમાન ન હોય, પરંતુ તેનું મહત્ત્વ સર્વોપરી છે. પરમાણુપુંજરૂપ કાર્મણ વર્ગણથી નિર્મિત હોવાને કારણે જે કે
દારિક તથા તૈજસ શરીરની જેમ તે જડ છે, તથાપિ મન, વચન તથા કાયના સંસ્કારને ગ્રહણ કરવાને કારણે તે એ પ્રકારે ચેતનવત્ પ્રતીત થાય છે. જેમ શબ્દ વ્યક્ત કરીને શ્રવણપાન કરાવતું ટેપ છે. કર્મણ શરીર જ વાસ્તવમાં અંધકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org