________________
૧૩૦
કમરહસ્ય જેવું છે તેવું ટેપ ઉપર અંકિત થઈ જાય છે. પરંતુ ટેપની પટમાં તે કંઈ જોઈ શકાતું નથી, તે કેવળ પ્લાસ્ટિકની પટ્ટી માત્ર છે. તેના પર એક સ્તર ચડે છે તે અંકન વાસ્તવમાં આ સ્તર ઉપર થાય છે, ટેપ ઉપર નહિ. ટેપ તે આપણે આંખથી જોઈ શકીએ છીએ તેના પરના સ્તરને જોઈ શકતા નથી તે પ્રમાણે ઔદારિક શરીર આપણને દેખાય છે પરંતુ તેની અંદર રહેલી કામણ વર્ગણાઓના સ્તરને આપણે જોઈ શકતા નથી જેને આપણે કાશ્મણ શરીર કહીએ છીએ. મનથી, વચનથી કે કાયાથી આપણે જે કંઈ સારું બેટું વિચારીએ છીએ, બોલીએ છીએ કે કરીએ છીએ તે સર્વ સંસ્કાર કાર્માણ શરીર નામના આ સ્તર પર અંકિત થઈ જાય છે. વિવાહ જેવા અવસરેમાં ઘરની ભીંત પર કન્યા દ્વારા છાપા દેવામાં આવે છે, તે પ્રકારે આપણું દરેક કર્મ ચિત્તભૂમિ પર અંકિત થતું જાય છે. આ કાર્મણ શરીર વાસ્તવમાં ચિત્તને અક્ષય ખજાનો છે, જેને પહેલાં ઉપ-ચેતના કહેવામાં આવી છે. ઔદારિક શરીરને જેવાથી એ ખ્યાલ નહિ આવે કે કામણ શરીર ક્યાં છે અને તેના પર શું અંકિત થાય છે અને તે કેવા રૂપમાં હોય છે.
જેમ કેઈ વિશેષ પ્રસંગે મશીનના માધ્યમથી આપણે ટેપ પર અંકિત થયેલા શબ્દો જેમ છે તેમ સાંભળીએ છીએ તેમ વિશેષ કાળ પ્રાપ્ત થવાથી મન, વચન, કાયાના માધ્યમથી આપણે કામણ શરીર પર અથવા તેમાં બદ્ધ કામણ વર્ગણાઓ પર અંકિત સર્વ કાંઈ જેમ છે તેમ અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org