________________
૧૨૭
શરીર આહારક વર્ગણાઓથી નિર્મિત હેવાને કારણે ઔદારિક શરીર છે તેમાં સ્વતંત્ર કંઈ નથી.
ભાષાવર્ગણાના વેગથી શબ્દ અથવા દ્રવ્યવચનનું નિર્માણ થાય છે. તેથી ઔદારિક શરીરની અપેક્ષાએ તે સૂક્ષમ છે. મને વર્ગણાઓથી નિર્મિત હેવાને કારણે દ્રવ્યમન વચનની અપેક્ષાએ સૂક્ષ્મ છે. તેજસ વર્ગણના યોગથી તેજસ શરીર તથા કાશ્મણ વર્ગણાઓના વેગથી કાર્પણ શરીર બને છે. તેથી તે બંને અત્યંત સૂક્ષ્મ છે. આ બે શરીરની વિશેષતાઓને જાણવાને માટે આપણે તેની મૂળભૂત એ બે વણુઓનું અધ્યયન કરવું પડશે. ૪. તેજસ શરીર
તેજસ શરીર તથા તેના કારણભૂત તેજસ વર્ગણાનું લક્ષણ શાસ્ત્રોમાં અતિ ગૌણ છે તથાપિ વિજ્ઞાનની દષ્ટિસાક્ષીએ તેને અભ્યાસ થઈ શકે છે. વિજ્ઞાનની દૃષ્ટિથી તેજસ વર્ગણને આપણે વીજળીની શક્તિયુક્ત (ઇલેકટ્રોનિક મલિક્યુલ) કહી શકીએ. તેજસ શબ્દને વ્યુત્પત્તિલભ્ય અર્થ ગ્રહણ કરવાથી પણ એ અર્થ સમજાય છે. કારણ કે તેજના અર્થમાં અગ્નિની જાતિના સર્વ પદાર્થો ગભિત છે. જેમ અગ્નિ દીપકના વેગથી પ્રકાશ, કેલસાના વેગથી ગરમી અને વરાળના વેગથી કિયા ઉત્પન્ન કરે છે તે પ્રકારે વીજળી પણ બબ – ગળાના યેગથી પ્રકાશ, હીટર, કીટલી, પ્રેસ જેવાં ઉપકરણના વેગથી ગરમી વળી પંખા તથા મેટરના વેગથી કિયા ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org