________________
શરીર
૧૨૫. સિદ્ધાંતમાં પ્રયુક્ત કાય શબ્દ આ ત્રણે શરીરને યુગપત્ ગ્રહણ કરે છે. સ્થૂલ હોવાને કારણે ભલે આ શરીર પ્રત્યક્ષ દેખાય. પરંતુ તાવિક દષ્ટિથી અંદરનાં તેજસ તથા કાર્મણ શરીર તેની અપેક્ષાએ અધિક સત્ય છે. કારણ કે મૃત્યુના અવસર પર આ શરીરને છેડી દઈને જીવાત્મા વિદાય લે છે, પરંતુ સાચા મિત્રની જેમ તેજસ તથા કામણ શરીર તેને સાથ છોડી દેતું નથી. અને ભવે-- ભવ સુધી તે સાથ નિભાવે છે. જ્યાં સુધી જીવાત્મા સ્વયં તેને છોડવાનું કહેતા નથી ત્યાં સુધી તે બંને એક ક્ષણને માટે પણ તેની સેવા છોડતાં નથી. ૨. પરમાણુ
- ત્રણ શરીરનું અધ્યયન કરતા પહેલાં સર્વ પ્રથમ જેનાથી શરીરનું નિર્માણ થાય છે તે દ્રવ્યનું અધ્યયન કરીશું, જેને ઉલેખ પરમાણુના નામથી કરવામાં આવ્યું છે. આ વિશ્વમાં જડ અને ચેતન બે પદાર્થો છે. ચેતન દ્રવ્યને ઉલ્લેખ અલગ કરવામાં આવ્યું નથી છતાં જ્ઞાન તથા ચેતનશક્તિના રૂપમાં અથવા આત્મા તથા જીવાત્માના રૂપમાં તેનું કથન પ્રસંગોચિત કરવામાં આવ્યું છે અને આગળ પણ, કરવામાં આવશે. જે જડ દ્રવ્ય છે તે અત્રે પ્રસ્તુત છે.
દ્રવ્યને નાનામાં નાને ભાગ પરમાણુ કહેવાય છે. સંખ્યામાં અનેક હોવા છતાં સર્વ પરમાણુ એક જાતિના હોય છે. પરસ્પર સંક્ષિણ કે સંબંધ થવાથી તે સૂક્ષ્મ તથા સ્થૂલ સ્કંધ બને છે. તેમાં જાતિભેદ હવે સ્વાભાવિક છે. જગતમાં પૃથ્વી, અપ (પાણી), તેજ તથા વાયુ આ ચાર ભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org