________________
ગવિધાન
૧૨૩ તે ભાવકાય નથી. તે પ્રકારે ત્વચાનું ફરકવું કે ધ્રુજવું ભાવકાયની ચેષ્ટામાં સમાય છે, તેના દ્વારા થતી શીત-ઉષ્ણ વગેરે પ્રતીતિઓ નહિ. મન તથા અંતઃકરણનું વિષયાંતર કે વિકલ્પાંતર થવાની જે ક્રિયા છે તેનું ગ્રહણ પણ અહીં થઈ શકતું નથી. તેને અંતર્ભાવ ભાવમનમાં કરવામાં આવ્યું છે. પરમાણુઓથી નિર્મિત શરીર તથા તેનાં સર્વ અંગે પાંગ દ્રવ્યકાય છે તથા તે સર્વ અંગે પાંગની હાલવા-ચાલવાની સર્વ કિયા ભાવકાય છે.
દ્રવ્યમન, દ્રવ્યવચન, દ્રવ્યકાય એ ત્રણે પરમાણુઓની રચના છે, ક્રિયા નથી. તે વેગનું કારણ છે પણ પિતે યુગ નથી. જે પ્રકારે નેત્ર રૂપ ગ્રહણવાળા જ્ઞાનેપગનું કરણ – સાધન છે, પરંતુ સ્વયં ઉપગ નથી. ચેષ્ટારૂપ હોવાને કારણે ભાવમન, ભાવવચન, ભાવકાય તે ત્રિવિધ વેગ છે, મન, વચન તથા કાયામાં કર્મવિધાનનાં ચૌદ કરો તેમાં ગ્રહણ થઈ જાય છે. સંક્ષેપમાં ત્રણ છે, વિસ્તારથી ચૌદ છે. તેથી શાસ્ત્રોમાં ત્રણ વેગ પ્રસિદ્ધ છે; મનેયેગ, વચનગ તથા કાયયોગ.
સંકલ્પપૂર્વક સમગ્રમાં પ્રતિબંધ લગાવે તે ભાવમનનું કામ છે તેથી તે જીવતું હોય ત્યારે જ્ઞાતૃત્વ, કર્તવ તથા ભેર્જીવ એ ત્રણ પ્રકારનાં કર્તવ્ય-કર્મ બંધનકારી છે, ભાવમન મરી જાય ત્યારે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org