________________
૧૯
રોગ-ઉપગ
૧. ચેતનાશક્તિનું ઉપયુક્તીકરણ
જ્ઞાતૃત્વ, કર્તુત્વ તથા ભેફ્તત્વ એ ત્રિવિધ કર્મની વાત થઈ. સંકલ્પપૂર્વક કરેલાં સર્વ કાર્યો કૃતક કહેવાય છે. પાંચ જ્ઞાનકરણ, પાંચ કર્મકરણ અને ચાર અંતઃકરણ આ ચૌદ કરણેની અપેક્ષાએ ચૌદ વિભાગમાં તે દર્શાવ્યાં છે. છતાં તે સર્વની પાછળ રહેલી ચેતના નામની પ્રસિદ્ધ શક્તિ જે પિતાની સંકલ્પશક્તિ દ્વારા તે સર્વને પિતતાનાં કાર્યોમાં નિયેજિત કરે છે, અર્થાત્ વાસ્તવમાં તે એક જ છે. જે કરણ પ્રત્યે આ શક્તિ સંચાર કરે છે તે કરણ જ કાર્ય કરે છે, તે સિવાયના અન્ય કારણ તે સમયે નિશ્ચ છ રહે છે. જોકે સ્થૂલ દષ્ટિએ જોતાં સર્વ કારણ યુગપત્ – એકસાથે કામ કરતાં હોય તેવું જણાય છે પણ વાસ્તવમાં તેમ નથી. વીજળીના જેવી ચપળતાથી તે ચેતનાશક્તિ ચૌદ કરણેમાં સંચાર કરતી હોવાથી તે એક જ શક્તિ ચૌદ રૂપને ધારણ કરે છે. વાસ્તવમાં એક સમયે એક જ કરણ પ્રતિ તે ઉપયુક્ત હોય છે, અને તે સમયે તે એક જ કરણ કાર્ય કરે છે.
જેમ ઈલેક્ટ્રિક બૅટરીમાં બલબ – ગળે લાગેલે હાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org