SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ કર્મ રહસ્ય અથવા તેને ત્યાંથી ઉઠાવીને સાગરમાં ડુબાવી દે. અથવા તેમાં કઈ એવું પરિવર્તન કરો કે જે મને અનુકૂળ હોય. પિતાના સ્વામીની આજ્ઞા મેળવીને હાથપગ આદિ સર્વ કર્મેન્દ્રિયે શીઘ્રતાથી પિતાપિતાના કામમાં ગૂંથાઈ જાય છે અને ઘણે પરિશ્રમ ઉઠાવીને પિતાના સ્વામીને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે. તેમના કાર્યથી સંતુષ્ટ થઈને મન અહંકારના માધ્યમ દ્વારા બુદ્ધિને તેની સિફારિશ કરે છે. બુદ્ધિ પ્રસન્ન થઈને પિતાના એ સર્વ સામ તેને અનેકાનેક સન્માનનીય પદેથી વિભૂષિત કરે છે. જેથી તે ઉત્તરોત્તર અધિક ઉત્સાહથી તેની સેવામાં એવા લાગી જાય છે કે તેમને પોતે શું કરે છે એ વિચારવાને પણ વખત રહેતું નથી. એની આવી મૂર્ખતા પર મનમાં હસતા હસતા ગુરુદેવ હંમેશા તેને ચેતવ્યા કરે છે. પરંતુ કરવા અને ભેગવવાની ધૂનમાં તેને આ વાત સંભળાતી નથી, અને કદાચ સંભળાય તે પણ તેને તે પસંદ આવતી નથી. કદાચિત્ કાળલબ્ધિવશ કઈ એક વ્યક્તિના ચિત્તમાં તેની વાત સ્પર્શ કરે તે બુદ્ધિ ચિંતામાં પડી જાય છે, તેના વિકલ્પની દિશા બદલીને નીચેથી ઉપરની દિશામાં વળી જાય છે. ચિત્ત બદલાઈ જવાથી મન બદલાઈ જાય છે, મન બદલાઈ જવાથી અહંકાર, અને અહંકાર બદલાઈ જવાથી બુદ્ધિ પણ બદલાઈ જાય છે. બુદ્ધિનું પરિવર્તન થઈ જવાથી તેનું નિરીક્ષણ, પરીક્ષણ તથા આજ્ઞાકરણની સર્વ ગતિવિધિઓ પરિવર્તિત થઈ જાય છે. તેના ફળસ્વરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy