________________
કમકરણ (સાધન)
૧૦૫ ૪. અંત:કરણ
નેત્ર આદિ ઇન્દ્રિયની જેમ બહારમાં અપ્રત્યક્ષ હેવાને કારણે અંતઃકરણને શાસ્ત્રોમાં અનિન્દ્રિય અથવા ઈષતુંઈન્દ્રિય કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે બહિ:કરણરૂપ દસે ઈન્દ્રિયની શાસક હોવાને કારણે તે જ પ્રધાન ઈન્દ્રિય છે. જ્ઞાનકરણ દ્વારા ગ્રહણ કરેલા અથવા જાણેલા પ્રત્યેક વિષય અને કર્મકરણ તેની પ્રેરણા દ્વારા જ પિતપતાનું કાર્ય કરવામાં નિજિત થાય છે. તેના ઊઠવા સાથે તે ઊઠે છે, તેના સૂવા સાથે તે સૂએ છે. તેના ક્રિયાશીલ હોવાથી તે સવે ક્રિયાશીલ રહે છે. તેના શાંત હોવાથી સર્વ શાંત થઈ જાય છે. સર્વ ઈદ્રિય અંતઃકરણની આજ્ઞાકારિણી સેવિકાઓ છે.
જે રીતે બાહ્ય ઈન્દ્રિયે પાંચ છે તે રીતે અનિન્દ્રિય અંતઃકરણના ચાર વિભાગ છેઃ એ મન, બુદ્ધિ, ચિત્ત તથા અહંકાર છે. જોકે આ ચારમાં કોઈ એક પણ શબ્દમાં આ ચારેને સમાવેશ થાય છે, તથા તેમાં પૂરા અંતકરણને સમાવેશ થાય છે છતાં અહીં તેનું ચાર વિભાગમાં વિશેષ રૂપ દર્શાવવામાં આવ્યું છે. દર્શનખંડમાં ચિત્ત શબ્દ દ્વારા જેનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે તે પણ વાસ્તવમાં એકલું ચિત્ત નથી પણ આ ચારે પ્રકારેથી યુક્ત અંતઃકરણ છે. શાસ્ત્રોમાં તેને માટે “મન” શબ્દનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અન્ય ત્રણ શબ્દોને પ્રાગ ત્યાં કવચિત જ કરવામાં આવ્યું છે. તેથી આ ચારમાં શું ભેદ છે તેનો વિવેક થઈ શક્યું નથી તેથી અહીં તેનું થોડું અધ્યયન કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org