SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪. કમરહસ્ય સિદ્ધિ થાય છે તેથી તે ઈન્દ્રનાં લિંગ કહેવાય છે. લિંગ પરથી લિંગીને જાણવું, અનુમાન કરવું તે જ્ઞાનનું લક્ષણ છે. ઈન્દ્ર અર્થાત આત્માનાં લિંગ હોવાને કારણે શાસ્ત્રમાં આ કરણેને ઈન્દ્રિય કહેવાય છે. તેથી જ્ઞાનકરણેને જ્ઞાનેન્દ્રિય અને કર્મકરણને કર્મેન્દ્રિય કહેવામાં આવે છે. શરીરના અંગ હેવાને કારણે કર્મેન્દ્રિયનું પૃથક્ વર્ણન શાસ્ત્રોમાં નથી છતાં પણ અહીં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે શાસ્ત્રની વિરુદ્ધ નથી. ૩. ભેગકરણ આ દસ ઈન્દ્રિ દ્વારા જાણેલા કે કરેલા પિતપોતાના વિષયે અથવા ક્રિયાઓ જાણવા તથા કરવાની સાથે તેના પ્રત્યે તન્મય થઈને રસાસ્વાદન પણ પ્રતીત થાય છે. નેત્ર સમક્ષ ઉપસ્થિત વિષયને જાણવા સાથે તે પ્રત્યે તન્મય થઈને રૂપને નિહાળવું, હાથ કોઈ પદાર્થને પકડે ત્યારે તેમાં તન્મય થવું – તેની કમળતા કે કઠોરતા વગેરેની સ્પર્શથી પ્રતીતિ થવી, તે સૂમ દષ્ટિએ જોતાં ભેગવવાનું કાર્ય બહિઃકરણરૂપ દસ ઈન્દ્રિયેનું નહિ પણ અંતઃકરણનું છે. જ્ઞાનેન્દ્રિયમાં રસના, ઘાણ તથા સ્પર્શન અને કમેન્દ્રિમાં ઉપસ્થ આ ચારે ઈન્દ્રિયે વ્યવહારદષ્ટિએ ભેગેન્દ્રિય માનવામાં આવે છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં આ ચાર તથા તેની સાથે અન્ય છ ઈન્દ્રિયે વાસ્તવમાં જ્ઞાતૃત્વ તથા કર્તુત્વનાં કરણ છે, ભકતૃત્વમાં નથી, તે ભેગનાં સાધન તે અવશ્ય છે પણ તેની સહાયતાથી વાસ્તવિક ભગવનારું અંતઃકરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy