________________
૧૦૦
કમ રહસ્ય જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા ભક્તત્વ. “હું આ જાણું” એ પ્રકારના સંકલ્પથી કરેલું કામ જ્ઞાતૃત્વ છે. “હું આ કામ કરું” એ. પ્રકારના સંકલ્પથી કરેલું કામ કર્તુત્વ છે. અને “હું આને ભેગવું” એ સંકલ્પથી કરેલું કામ ક્ષેતૃત્વ છે. તેના અવાંતર ઘણું ભેદ છે. ઈન્દ્રિ દ્વારા જેઈને, સાંભળીને, સૂંઘીને, ચાખીને કે સ્પર્શીને, તથા મનબુદ્ધિ દ્વારા મનનચિંતન કરીને જાણવું અથવા નિર્ણય કરવો, સમજ તે સર્વ જ્ઞાતૃત્વની અંદર સમાય છે. હાથપગ દ્વારા ઉઠાવવું–લેવું, બનાવવું કે બગાડવું, ચાલવું-ફરવું, નાચવું કૂદવું, બેસવું. સૂવું કે વચન દ્વારા બોલવું, ભણાવવું કે સમજાવવું કે સર્વ કતૃત્વમાં સમાય છે. જ્ઞાતૃત્વમાં કેવળ જાણવાનું કાર્ય થાય છે. તેમાં હલનચલન ઇત્યાદિ ક્રિયા નથી. અને કર્તવમાં જાણવાની નહિ પરંતુ હલનચલન ઈત્યાદિ કિયા હોય છે.
જાણેલા કે કરેલા કેઈ પણ વિષયમાં તન્મય થવું, તેમાં રસ લે, દુઃખસુખ અનુભવવું, તથા હર્ષ વિષાદ થ, તે સર્વ ક્ષેતૃત્વ કહેવાય છે. તન્મયતાપૂર્વક કઈક રૂપનું આસક્તિસહિત નિરીક્ષણ કરવું, સ્વાદિષ્ટ પદાર્થોની સાથે તન્મય થઈને તેને રસ લે, સ્ત્રી આદિને સ્પર્શ કર, કે મનમાં તે પદાર્થોનું ચિંતવન કરવું આ સર્વ ક્રિયા ભકતૃત્વની છે. તે પ્રકારે પિતાને માટે કે પિતાના દ્વારા બનાવેલાં ઘર, રાચરચીલું, વસ્ત્ર, પાત્ર, આભૂષણ, સાધનસામગ્રી વગેરેમાં “આ મારાં છે” તે સ્વામિત્વભાવ કર તે ક્ષેતૃત્વ છે. આ કામ મેં કેવું કર્યું, મારી કવિતા કેટલી સુંદર છે, મારું લખેલું પુસ્તક કેવું મામિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org