________________
કમ
નિત્ય નવીન પર્યાયને પ્રાપ્ત કરવી તથા જૂની પર્યાયને
ત્યાગ કરવામાં ઉદ્યમી રહેવું તે તેની ક્રિયા છે. આ પ્રકારે કર્તા, કર્મ અને ક્રિયાની ત્રણે અવસ્થા સમજવા કે સમજાવવા માટે અલગ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે પૃથફ પૃથક નથી પરંતુ એક જ છે.
લોકપ્રસિદ્ધ અર્થથી વિપરીત કર્તા, કર્મ અને ક્રિયાનાં વિચિત્ર લક્ષણોને સાંભળી ચિત્તમાં શંકા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. જડ તથા ચેતન સર્વ પદાર્થમાં જે સહજરૂપમાં પરિણમન થઈ રહ્યું છે તે કર્મને ત્યાગ કેવી રીતે થઈ શકે? જો તેમ થઈ શકતું નથી તે કર્મોને ત્યાગ કરવાની વાત શાસ્ત્રમાં શા માટે જર્ણવવામાં આવી છે? આવી શંકા જ્યાં સુધી કર્મના વિવિધ ભેદો જાણવામાં ન આવે ત્યાં સુધી રહે તે સ્વાભાવિક છે.
વાસ્તવમાં કર્મ કૃતક તથા અકૃતક એમ બે પ્રકારે છે. “હું આ કરું” આવા સંકલ્પપૂર્વક કરેલાં કર્મો “કૃતક” કહેવાય છે. અને એ પ્રકારના સંકલ્પ વગર જે નિરપેક્ષપણે સ્વતઃ થાય છે તે “અકૃતક” કહેવાય છે. લેકમાં જે કંઈ પણ કાર્ય કે કર્મ આપણે જોઈએ છીએ તે સર્વે સંકલ્પ પૂર્વકનાં હોવાથી કૃતક કહેવાય છે. તેથી તે કર્મોને ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહેવાયું છે. સહજરૂપે થતાં કર્મને ત્યાગ કરવાનું કહેવામાં આવતું નથી. ૨. ત્રિવિધ કૃતક કર્મ
હું આ કામ કરું” એમ સંકલ્પ પૂર્વક જે કામ કરવામાં આવે છે તે કૃતક કામ કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org