________________
કલ્યાણની દિશામાં
૯૩
સર્વ દર્શનાએ કર્યુ છે. છતાં પણ આ વિષયનું વિશદ અને વિસ્તૃત વિવેચન જૈનદર્શનમાં જે પ્રમાણે નિરૂપ્યું છે તેની તુલનામાં તે સાગર પાસે બિંદુ જેવું નગણ્ય છે. તેનુ કારણ એ છે કે અન્ય દર્શના કેવળ તાત્ત્વિક જ્ઞાનને મેાક્ષના હેતુ માને છે, જ્યારે જૈનદર્શન તત્ત્વજ્ઞાનની સાથે સાથે ચારિત્ર – આચરણ પર ભાર મૂકે છે. તેની દૃષ્ટિમાં તત્ત્વજ્ઞાન મેાક્ષનો પરંપરાએ હેતુ છે અને ચારિત્ર સાક્ષાત્ હેતુ છે. “ચરિત' વહુ ધમ્મો’1
તેની તાત્ત્વિક વ્યવસ્થા પણ ચારિત્ર – આચરણને પ્રધાન માનીને કરી છે. સાતૃત્વ, કતૃત્વ કે ભ્રાતૃત્વની દિશામાં આપણે શું કરવું અને શું ન કરવું, શા માટે કરવું અને શા માટે ન કરવું તે જૈનદર્શનનુ મુખ્ય પ્રતિપાદન છે. આ દર્શન અનુસાર વ્યક્તિ કર્મના નિમિત્તથી ઉપર ઊઠે છે. અને કમ દ્વારા નીચે ઊતરે છે. તેથી ક્રમ સિદ્ધાંતની અંદર જેટલે ઊડા પ્રવેશ જૈનદર્શનમાં પ્રાપ્ત છે તેટલે અન્ય કાર્ય દર્શનમાં નથી.
૩. સ્વતંત્ર ભાષા
આ નાના સરખા પુસ્તકમાં એ સત્ર સિદ્ધાંતને સમાવી દેવા તે મારી શક્તિ બહારની વાત છે, છતાં તેના સક્ષિપ્ત સાર માત્ર પ્રસ્તુત કરવાનો ભારતવમાં તા અનધિકૃત આ પ્રયાસ છે. જટિલ – ગૂંચવાળી પરિભાષાઓને છેડીને લેાકભાગ્ય ભાષામાં રજૂ કરવાના પ્રયત્ન છે. તેથી સ`ભવ છે કે શાસ્ત્રજ્ઞાને તેમાં શાસ્ત્રથી વિરાધ જેવું કઈં પ્રતીત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org