________________
કર્મ રહસ્ય બાહ્યદષ્ટિ જગત માટે આ પંક્તિ ઉચિત છે. પણ ગુરુકૃપા વડે અંતર્દષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે તે ભાગ્યશાળી માટે સુખનું લક્ષણ નિરાકુળતા અથવા સમતા છે. તેને માટે આ પંક્તિની કશી કિંમત નથી. આ પંક્તિમાં દર્શાવેલ પ્રવૃત્તિથી દૂર રહીને તે આત્યંતર જગતમાં પ્રવૃત્ત રહેવામાં તેની સહજ અભિરુચિ છે. જોકે તે પણ સુખને આકાંક્ષી છે છતાં તે લેભ તેને બાહ્ય જગતથી વિમુખ કરી અંતરંગ પ્રત્યે દોરે છે. જ્યારે વિષયસુખને લેભ વ્યક્તિને અંદરને બદલે બહાર આકર્ષે છે. આમ બંનેમાં પરસ્પર વિરોધ છે. કર્મરહસ્ય તેની આત્યંતર પ્રવૃત્તિના અત્યંત વિશદ દાર્શનિક ચિત્રને પ્રસ્તુત કરે છે. તેમાં તેના અનેક પ્રશ્નોનું સમાધાન થાય છે. કર્મ શું છે, જીવનમાં તેની શી પ્રવૃત્તિ છે, તે કેવી રીતે થાય છે, તેને પ્રકાર કે છે, તેના ત્યાગને ઉપદેશ શા માટે કરવામાં આવ્યું છે, કર્મત્યાગને આશય શું છે, તે તેવા પ્રકારે શક્ય બને, આત્મહિત સાથે તેને શું સંબંધ છે વગેરે. ૨. જૈનદર્શનનું શ્રેય
આ સર્વ પ્રશ્નોના ઉત્તર દરેકની ભૂમિકાનુસાર ન્યાય-વૈશેષિક, મીમાંસક, સાંખ્ય-ગ તથા વેદાંત આદિ દર્શનેમાં પણ આપ્યા છે. પરંતુ જૈનદર્શને આ પ્રશ્નોના તથા અન્ય અનેક પ્રશ્નોના ઉત્તર અનુભવસિદ્ધ, આત્યંતર વિજ્ઞાન દ્વારા આપ્યા છે તે સ્વયં તે જ પ્રકારના છે. તે પ્રકારે કર્મસિદ્ધાંતનું વિવેચન દરેકની ભૂમિકાનુસાર અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org