________________
૧૦
છતાં શક્તિશાળી માનોએ, તેમના દેશે અહંને કારણે ત્રાસદાયી પ્રવૃત્તિને પ્રારંભ કર્યો છે. અને તેથી વિશ્વયુદ્ધની.
બતે ગડગડે છે. આવી સંકાન્ત સ્થિતિમાં પ્રબુદ્ધવગે વિશ્વની જનતાને યુદ્ધથી દૂર રાખવા સક્રિય રહેવું જોઈએ. કઈ પણ સંયેગમાં માનવજાતની રક્ષા થવી જરૂરી છે.
ભારતીય ઋષિમહર્ષિઓએ હંમેશા આધ્યાત્મિક દિશાનું પ્રદાન કરીને, પિતાના સંદેશામાં અહિંસાના પ્રચાર અને પ્રસાર પર અધિક ભાર મૂક્યો છે. આચાર્ય સમન્તભદ્દે તે “અહિંસાને જગતવિદિત “પરમબ્રહ્મની ઉપમા આપીને તેના આચરણ પર અધિક ભાર મૂક્યો છે. આચાર્ય અમૃતચંદ્રાચાયે લખ્યું છે કે પિતાનામાં અન્ય પ્રતિ રાગદ્વેષ જેવા વિકારને ઉત્પન્ન ન કરવા તે જ વસ્તુતઃ અહિંસા છે. તેનું આચરણ થવાથી સર્વત્ર શાંતિની સ્થાપના થઈ શકશે.
શ્રીજિનેન્દ્ર વણજી એક આધ્યાત્મિક મહાપુરુષ છે. તેમણે આ કૃતિમાં સરલ અને સુગમ ભાષામાં અહિંસાનાં તને સ્પષ્ટ કર્યા છે. આજના યુગમાં માનવતાના ઉદ્ધાર અને તેની પ્રતિષ્ઠા માટે આ પુસ્તક અત્યંત ઉપયેગી સિદ્ધ થશે તેમાં શંકા નથી. શિક્ષિત યુવકને તેમાં એક દિશાની. પ્રાપ્તિ થતાં તેઓ કુસંગતથી બચીને સાચે માર્ગ પ્રાપ્ત કરશે.
વણજી કેવળ આધ્યાત્મિક પુરુષ જ નથી, પરંતુ એક ઉત્તમ લેખક, ગ્રંથકાર, પ્રવચનકાર અને વિદ્વાન છે. તેમણે આજ સુધી એક ડઝન ઉપરાંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચના કરીને માનવની સુપ્ત ચેતનાને જાગ્રત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org