________________
પ્રાકથન
(હિંદી પરથી) આ યુગમાં માનવ જેટલું ઉત્પીડિત તથા ઉત્પીડક છે તેટલે કદાચ પહેલાં નહિ હોય. મનુષ્યની અંદર જ્યારે અહંને અતિરેક થાય છે ત્યારે તે ઉત્પીડક થઈ જાય છે, અને અન્ય મનુષ્ય ઉત્પીડિત થઈ જાય છે. આજે આવી સ્થિતિ થઈ રહી છે. ત્રણચાર દસકા પહેલાં ગાંધીજીને યુગ કહેવાતું હતું. તેમણે વિશ્વને શાંતિ અને અહિંસાને સંદેશ આપ્યું. તેમના એ સંદેશાને વિશ્વ પર કેટલે પ્રભાવ પડ્યો તે આપણે ભલે ન જાણીએ, છતાં પણ વિશ્વના બુદ્ધિજીવીઓ ઉપર તેને પ્રભાવ અવશ્ય પડયો છે. તેમણે શાંતિ તથા અહિંસાની સ્થાપનામાં પિતાનું યોગદાન આપ્યું છે, તેની ફળશ્રુતિરૂપે વિશ્વનાં સમસ્ત રાષ્ટ્રનું એક સંગઠન સ્થપાયું તે, સંયુક્ત રાષ્ટ્રસંઘના નામે પ્રસિદ્ધ છે. તે નિમિત્તે સૌ એક રંગમંચ પર એકઠા થઈ શક્યા.
ભારતના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરુએ તે દિશામાં ઘણે પરિશ્રમ કર્યો હતે. અને એ તટસ્થ રાષ્ટ્ર સંગઠનમાં ઘણું ગદાન આપ્યું હતું. તે સંગઠન આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને પોતાનું કાર્ય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org