SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કમરહસ્ય સર્વત્ર પૂર્વ-પૂર્વવતી સોપાન સાધન છે અને ઉત્તરઉત્તરવતી એનું સાધ્ય છે. જે દ્વિતીય સોપાન પહેલાને માટે સાધ્ય છે તે તેનાથી આગળના ત્રીજાને માટે સાધન છે. ત્રીજુ સે પાન બીજાનું સાધ્ય છે, તે જ ચેથા પાનનું સાધન છે. પ્રથમ હોવાને કારણે પહેલું સોપાન સાધન છે, તે કોઈનું સાધ્ય નથી. તે પ્રમાણે અંતિમ હવાથી ચામું સપાન સાધ્ય જ છે પણ તે કોઈનું સાધન નથી. વચ્ચેનાં સવ સોપાન સાધન છે, અને સાધ્ય પણ છે. પિતાના પૂર્વવતીને માટે સાધ્ય છે અને પિતાનાથી ઉત્તરવતીને માટે તે સાધન છે. સિદ્ધાંતિક દૃષ્ટિએ સાધન અને સાધ્યમાં કોઈ અંતર નથી. પૂર્વવતી પર્યાય સાધન છે અને ઉત્તરવતી પર્યાય સાધ્ય છે. જે આજે સાધ્ય છે તે કાલે સાધન બનશે. આવી વ્યવહાર તથા નિશ્ચયની મૈત્રી છે. વ્યવહાર પક્ષ જેમ જેમ અંતર્મુખ બને છે તેમ તેમ નિશ્ચયનું રૂપ ધારણ કરે છે. તે જ જીવનને વિકાસ છે. ૪. વ્યવહારનું વમન મેં કહ્યું કે ઊઠે, જાગો, આગળ વધે. તેનું તાત્પર્ય માત્ર વિકાસકમ છે. એક પછી એક સંપાનની ભૂમિકાને કમથી અતિકમી આગળ વધી શકાય છે. કેઈ પણ સંપાન. કે ભૂમિકામાં અટકી ન પડતાં, મેહવશ ન થતાં આગળ વધે. આગળના પાન પર પગ સ્થિર કરીને પાછળનું સોપાન છેડી દે, જે એ પાનને ન છેડી શકે તે તે પછીના આગળના સોપાન પર ચડવું મુશ્કેલ છે. જે રીતે ગૃહસ્થને લૌકિક જીવનમાં ધન કુટુંબ આદિ પ્રત્યે મમત્વ Jain Education International la For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy