SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કહેવું એ પણ ખરાબર નથી. એટલું કહી શકાય કે વૈદિક સંપ્રદાયના નિષ્ઠુર ક્રિયાકાંડને અંગે જે વિરાધ અને વિપ્લવ થયા તેને લીધે ઉભય પક્ષેાને એક સરખા સામના કરવે પડયો–એક સરખી કિલ્લેબંધી કરવી પડી હોય. જરા ઊંડા ઉતરીને જોઈશું તેા જણાશે કે તત્ત્વ દૃષ્ટિએ જૈન અને બૌદ્ધ પરસ્પરથી ભિન્ન અને સ્વતંત્ર છે. બૌદ્ધ મત શૂન્યને જ વળગી રહે છે, જેના ઘણા પદાથ માને છે. બૌદ્ધમતમાં આત્માનું અસ્તિત્વ નથી, પરમાણુનું અસ્તિત્વ નથી, દિશા, કાળ અને ધમ (ગતિ સહાયક) પણ નથી, ઈશ્વર પણ નથી. જૈન મતમાં એ બધાની સત્તા સ્વીકારવામાં આવી છે. બૌદ્ધમત પ્રમાણે નિર્વાણ મેળવવું એટલે શૂન્યમાં ભળી જવું; પણ જંમતમાં મુક્ત જીવાને અનંત જ્ઞાન—દનચારિત્રમય અને આનંદમય માનવામાં આવ્યા છે અને એ જ સાચુ જીવન છે, બૌધ્ નના ક અને જૈન દર્શનના કમ પણ જૂદા જૂદા અર્થમાં વપરાયા છે. જૈન ધર્મ બૌધ્ ધર્મની શાખા નથી એટલું તેા સહેજે સિદ્ધ થાય છે. બૌદ્ધ દન કરતાં સાંખ્ય દર્શનની સાથે જૈન દર્શનનુ મળતાપણું અધિક પ્રમાણમાં હાય એમ લાગે છે. સાંખ્યુ અને જૈન એ બન્ને વેદાન્તને અદ્વૈતવાદ નથી માનતા અને આત્માની વિવિધતા સ્વીકારે છે. વળી એ અને જીવથી જૂદું અજીવતત્ત્વ માને છે, પણ એ ઉપરથી એકે ખીજાની પાસેથી ઉછીનું લીધું છે અથવા તે એક મૂળ છે અને બીજાં શાખારૂપ છે એમ ન કહી શકાય. કારણ કે ખારીકીથી જોઇએ તા સાંખ્યુ અને જૈનનું બહારનું સ્વરૂપ સામાન્ય હોવા છતાં ભીતરમાં ણ ભેદ છે. દાખલા તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy