SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ મહાપુરૂષોએ કનિ સાધના કરી છે અને એ સાધનાના પ્રતાપે, કદિ ન ઓલવાય એવી પ્રકાશની મશાલો પ્રકટાવી છે. તે મહાપુરૂષો પિકીન, આ પાર્શ્વનાથ પ્રભુ પણ એક વંદનીય પુરૂષ છે એ વિષે શક નથી. કે પ્રશ્ન કરશે : “ પણ આ પાર્શ્વનાથ શું ઐતિહાસિક પુરૂષ છે ?” - પાર્શ્વનાથ એતિહાસિક પુરૂષ છે, એટલે જ તો જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શાખા કહેનારાઓ ચુપ બની બેઠા છે. ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર કંઈ જૈનધર્મના પ્રવર્તક નથી. એમની પહેલાં જૈન ધર્મ પ્રવર્તતો હતો એ વાત પાર્શ્વનાથ ભગવાનના ઐતિહાસિક વૃત્તાતે પૂરવાર કરી દીધી છે. મહાવીરની પહેલાં પણ પાર્શ્વનાથે જૈન ધર્મને પ્રચાર કર્યો હતો. પાર્શ્વનાથ ભગવાન મહાવીર જેટલા જ ઐતિહાસિક પુરૂષ છે. પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રમાં કેટલીક અલૌકિક ઘટનાઓ હોય એ સંભવિત છે. પણ એટલા જ ઉપરથી એમની ઐતિહાસિકતા ઉડાવી દઈ શકાય નહીં. રામાયણ, મહાભારત અને પુરાણુદિના સજવંશોની વાત જવા દ્યો, વિક્રમાદિત્ય, ભેજ રાજા અને બીજા રાજપૂત રાજાઓના ચરિત્રમાં પણ કેટકેટલી વિચિત્ર વાતે પેર્સી ગઈ છે ? છતાં એમની ઐતિહાસિકતાના સંબંધમાં કોઈ સવાલ નથી કરતું. અલૌકિક ઘટના હોય ત્યાં ઐતિહાસિકતા રહી જ ન શકે એ સિદ્ધાંત કઈ કરીને બેસી જાય તે પછી અશોક અને ગૌતમ બુદ્ધ પણ કાલ્પનિક પુરૂષ જ ગણાઈ જાય. ઈસાઈઓના ઈસુ ખ્રીસ્ત અને ઇસ્લામધર્મના પ્રવર્તક મહમ્મદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy