SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ નિરાશાવાદી, કોઈના પર વિશ્વાસ ન રાખનાર, વાણી અને વર્તનમાં વર્ક, કપટી પોતાના દોષો છુપાવનાર, મિથ્યાદ્રષ્ટિ, મર્મભેદક દુષ્ટ વચન બોલનારો, આડું ચલનારો, અનાર્ય એટલે દયા વિનાનો, ચોર અને મત્સરી, એટલે બીજાની ચડતી સહન ન કરનારો હોય છે. (ઉત્ત. અ. ૩૪, ગા. ૨૫-૨૬) ૪. તેજોલેશ્યા : તેજોલેશ્યાવાળો જીવ વિનમ્ર, સરળ, વિનયી, ગુરૂ વગેરેની ઉચિત સેવા કરનારો, વિનીત, ધર્માનુરાગી, ધર્મમાં દ્રઢ રહેનારો, પાપભીરૂ, હિતૈષી-સર્વનું હિત ઈચ્છનારો, સંયમી, યોગવાન, સ્વાધ્યાય આદિમાં મગ્ન રહેનારો, નિર્વાણ સાધક યોગની સાધના કરનારો અને તપશ્ચર્યા કરનારો હોય. (ઉત્ત. અ.૩૪, ગા. ૨૭-૨૮) ૫. પદ્મલેશ્યા : આ લેશ્યાવાળા જીવના ક્રોધ, માન, માયા, લોભ ઘણા પાતળા પડી ગયેલાં હોય. પ્રશાંત ચિત્તવાળો હોય, આત્માનું દમન કરનાર હોય. યોગવાન હોય, સાધક હોય, મિતભાષી હોય, ઉપશાંત હોય. જિતેન્દ્રિય હોય. (ઉત્ત. અ.૩૪, ગા. ૨૯-૩૦) ૬. શુકલલેશ્યા : જે પુરુષ આર્ટ અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુકલ ધ્યાન કરતો હોય, પ્રશાંત ચિત્તવાળો હોય. આત્મસંયમવાળો હોય, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુકત ઉપશાંત હોય, જિતેન્દ્રિય હોય, તેને સરાગ કે વીતરાગ અવસ્થામાં શુકલ લેશ્યાના પરિણામવાળો જાણવો. (ઉત્ત. અ.૩૪, ગા. ૩૧-૩૨) ચિંતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું તે ધ્યાન. આ ધ્યાન ચાર પ્રકારનાં છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. જેમાં અર્તિ એટલે દુ:ખ કે પીડાનું ચિંતન મુખ્ય હોય, તે આર્તધ્યાન. જેમાં હિંસા, ક્રોધ, વેર વગેરેનું ચિંતન મુખ્ય હોય, તે રૌદ્રધ્યાન. જેમાં જિનપ્રણીત ધર્મનું ચિંતન મુખ્ય હોય, તે ધર્મધ્યાન. અને જેમાં આત્માના શુદ્ધ સ્વરૂપની રમણતા હોય, તે શુકલધ્યાન. આમાં પ્રથમ બે ધ્યાન કર્મબંધનના કારણરૂપ તેમજ કલેશરૂપ હોઈ, છોડવા યોગ્ય છે. બીજા બે ધ્યાન કર્મબંધને છેદનારા અને ચિત્તને શાંતિ અર્પનારા હોઈ, આદરવા યોગ્ય છે. શુકલ લેશ્માવાળા જીવને આર્ત્ત કે રૌદ્ર ધ્યાન હોતું નથી પણ ધર્મ તથા શુકલ ધ્યાન જ હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ અધમ હોઈ ભવાંતરમાં દુર્ગતિ આપનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy