SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ O તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણે ધર્મલેશ્યાઓ હોઈ ભવાંતરમાં સદ્ગતિ આપનાર છે. (ઉત્ત. અ.૩૪. ગા. ૨૬-૫૭) કોઈપણ જીવ આગામી ભવમાં સારાનરસાં જે સ્થાને ઉત્પન્ન થવાનો હોય. તેવી લેથા અંત સમયે પરિણમે છે. જીવ જે લશ્યામાં મરે છે, તે જ વેશ્યામાં ઉત્પન્ન થાય છે. (ઉત્ત. અ.૩૪. શા. ૧૮ થી ૬૧) મતિ એવી ગતિ. મનોગત વ્યાપાર, મનોવિકાર, શુભ કે અશુભ ચિંતન લેગ્યામાં પરિણમે છે, જે શરીરને સ્પષ્ટરૂપથી પ્રભાવિત કરે છે. લેશ્યાઓ થકીજ આભામંડળ (AURA) રચાય છે. આ આભામંડળ સ્થૂળ શરીરના આકારને અનુસરતું અને સ્થૂળ શરીરમાં વ્યાપીને તેની બધી બાજુ આશરે બેથી ચાર ફૂટ જેટલું બહાર પ્રસરેલું હોય છે. તે વિશિષ્ટ રંગવાળું હોય છે. (ડૉ. જેસી હરમાન હોમ્સ) આધુનિક પરામનોવિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે મનુષ્યના માનસિક ભાવ-તરંગોમાં ફેરફાર થતાં જ તેના આભામંડળનાં રંગોમાં પરિવર્તન આવે છે. મુનધ્યનો અધ્યાત્મિક વિકાસ થતાં તેના મનના સ્થાયી ભાવિપિંડનું આભામંડળ ઉત્તરોત્તર વધુ તેજસ્વી થવા લાગે છે. જૈન તીર્થકરોની લેશ્યાને લગતી વિચારણા આ દ્રષ્ટિએ ખાસ સમજવા જેવી છે. આભામંડળ બધાને દ્રષ્ટિમાં આવતું નથી. ધ્યાન-યોગ ગમાર્ગ એ ભારતીય સાધનાપથનું અવિભાજય અંગ છે. ના આધુનિક મનોવિજ્ઞાનના વિકાસને કારણે યોગ સાધનાએ વિશેષ આકર્ષણ જગાવ્યું છે. મનને વિકૃતિના ઉંબરા સુધી પહોંચાડનાર વૃત્તિઓ, જેવી કે ચિંતા, ભારણ, તાણ, અશાંતિ, ઊંચું બ્લડ પ્રેશર ડાયાબિટિસ જેવી મન અને તનને સંલગ્ન એવી બિમારીઓ તેમજ સર્વાગે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગ ઉપયોગી પૂરવાર થયું છે. અવકાશયાત્રીઓને શારીરિક સજજતા માટેની તાલીમ, શ્વસનક્રિયા નિયંત્રણ, વજનહીન દશામાં કરવી પડતી કામગીરી વગેરે માટે યોગાસનોનો અભ્યાસ અનિવાર્ય બન્યો છે. દૈહિક, મનોગત, ભાવાત્મક, જૈવિક લાભોને કારણેયોગ-ધ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy