SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ તૈયારીમાં રહે છે, ક્ષણવાર જ ટકે છે, તેમ મનુષ્યનું જીવન પણ ક્ષણિક બિંદુ જેવું છે. માટે હે ગૌતમ ક્ષણ માત્રનો પ્રમાદ ન કર. તું સંસાર સમુદ્રને તરી ગયો છે, તો કિનારે પહોંચીને કેમ બેઠો છે? સામે પાર પહોંચવા જલ્દી કર. તેમાં હૈ ગૌતમ ક્ષણ માત્રનો પ્રમાદકરીશ નહિં. ધર્મારાધનામાં આળસ અને વિષય-કષાયમાં પ્રવૃત્તિ એ જ પ્રમાદ. (સૂત્રુ. ૧, અ.૮, ગા. ૩. ઉત્ત. અ. ૧૪, ગા. ૧૫, ઉત્ત. અ.૪. ગા.૧, ગા.૨, ગા.૪,૫,૬,૧૦ અ.૧૦. ગા. ૧ થી ૪, ૧૫ થી ૨૦, ૨૬ થી ૩૦, ૩ર થી ૩૪ અને અ.૩૨. ગા. ૧૧૧). પ્રમાદ એ માત્ર શારિરીક બાબત નથી. એ શરીર મન અને બુદ્ધિનો રોગ છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે: પ્રમાદ કર્મબંધનું કારણ અને અપ્રમાદ કર્મથી મુકત થવાનું - કર્મબંધ ન થવાનું કારણ છે. સુખને આડે એક મોટું નડતર વધુ પડતા સુખની ધારણારૂપી હોય છે. માણસની જાગૃત સંવિતિ એ જ એની ખરી સંપત્તિ છે. એને સતત પરિશુદ્ધ રાખવી પડે છે. પ્રમાદ એ સાધનાનો સૌથી મોટો શત્રુ છે. એક માણસને મૃત્યુ પછી અજાણા સ્થળે લઈ જવામાં આવ્યો. મનગમતાં ભોજન, ખાવું પીવું ને ઉંઘવું. જીવાત્માને તો લહેર થઈ પડી. કશું કરવાનું જ નહિથોડા દિવસ તો એને મજા આવી. પણ પછી કંટાળો આવવા લાગ્યો. કોઈ કામ નહિં, પ્રવૃત્તિ નહિં. ‘બોર” થઈ ગયો. એણે એ લોકના અધિપતિને વિનંતી કરી કે અહીં મને ગમતું નથી. પણ શું કમી છે? હજી શું જોઈએ?' અધિપતિએ પૂછયું. “હું કંટાળી ગયો છું. “બોર” થઈ ગયો છું. આ તે કંઈ જીંદગી છે? આના કરતાં તો મને નરકમાં મોકલાવી દો. સ્વર્ગ મને નથી જોઈતું.” “ભાઈ, આ જ નરક છે!” અધિપતિએ જવાબ આપ્યો. પ્રમાદી માણસ “બોર” જ થતો હોય છે. અને Boredom is Hell. સુખથી, સગવડોથી, સાધનોથી પણ માણસ ઉબાઈ જાય છે. કંટાળાગ્રસ્ત બની જાય છે ત્રસ્ત બની જાય છે. આ છે બોરડમ અને આ જ નરક છે. - જે શરીર પરિશ્રમ કરતું નથી, એ રોગગ્રસ્ત થઈ જાય છે. જે મન વપરાતું નથી તે કટાઈ જાય છે. જે હૈયામાં સ્પંદનો ઉઠતાં નથી, તે હૈયું દિશાશૂન્ય અને મશીનવત્ થઈ જાય છે. રવિશંકર મહારાજ કહેતા “બસાઈને ઉજળા થઈએ” પ્રમાદ આસાનીથી શરીરને વળગે છે. પ્રમાદ એટલે રોગનો સગો બાપ. માણસ થાકીને આડો પડે તે આરામ (વેસ્ટ). પણ થાક્યા વગર આંખો ખોલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy