SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર આવતો નથી. મારા સમ, હું મને બહુ ગમે! જેવી ઉકિતઓ પ્રચલિત છે. જ્ઞાનના અભિમાનમાં અહંકારયુકત અજ્ઞાન જ ડોકિયાં કરતું હોય છે. ત્યાગનો પણ ખ્યાલ છોડવો, એ જ ખરો ત્યાગ છે. તપ, સમાજસેવા વગેરે શુભ પ્રવૃત્તિમાં પણ અહંકારને નિર્મૂળ કરાય, તો દીપી નીકળે. મહાશકિતશાળી બાહુબલિને બહેનોએ વિનવ્યા “ગજ પરથી હેઠા ઉતરો રે વીરા અને બાહુબલિને ચમકારો થયો. ઉગામેલા હાથે લોન્ચ કર્યો. - સનતકુમાર ચક્રવતીના રૂપના અભિમાનને સીમા ન હતી. ક્ષણ ભાગમાં સોળ રોગ ઉત્પન્ન થયાં હતાં. વાલિયા લૂંટારુનો ગર્વ ગળ્યો, દિશા ફરી ગઈ અને સૃષ્ટિના પ્રથમ કવિ વાલ્મિકી થયા. જેસલમાં ભકિતભાવ પ્રગટયો અને જે શકિત પ્રજાને રંજાડવામાં વપરાતી, તે આધ્યાત્મમાર્ગે વળી. અહંકાર અને ભકિત એક સાથે સંભવી ન શકે. અહંકારી અકકડ હોય. તૂટે પણ નમે નહિ. જે વૃક્ષ પવનમાં નમી શકે તે વાવાઝોડા વખતે બચી જાય છે. જે વૃક્ષ બરડ અને જરઠ હોય તે મૂળમાંથી ઉખડી જાય છે. જળની મૃદુતામાં જ એની શકિત રહેલી છે. ખડકો પણ ભેદી શકે છે. પ્રશ્ન: હે ભગવી માનને જીતવાથી જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર: હે શિષ્ય, માનને જીતવાથી જીવ માર્દવ કે મૃદુતાનું ઉપાર્જન કરે. (ઉત્ત.અ. ૨૯, ગા. ૬૯) જ્ઞાનીઓએ અહંકારને ફૂંફાડા મારતા સાપ સાથે સરખાવ્યો છે. ત્રીજો કષાય છે: માયા માયા એટલે જૂઠ, કપટ, દગો, વિશ્વાસઘાત અને છળ. માયા મિત્રોનો નાશ કરે છે. કપટયુકત વ્યવહાર દ્વારા માયાથી જીવની શુભગતિનો નાશ થાય છે. (દશ. અ.૮. ગા. ૩૮. ઉત્ત.અ.ક. ગાથા ૪) માથાની તીવ્રતા: મંદતા અનુસાર વિભાગો: અનંતાનુબંધી: વાંસના કઠણ મૂળ જેવી, જે કોઈ રીતે પોતાની વકતા છોડે નહિં. અપ્રત્યાખાની: ઘેટાના શીંગડા જેવી, જે ઘણા પ્રયત્ન પોતાની વક્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy