SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અહંકાર એટલે estimation of self by self પોતા વિષે પોતાનો ઉચ્ચ અભિપ્રાય જ અહમ્. સદા ભેદભાવ, ઈર્ષા, ચિંતા અને અદેખાઈ દ્વારા પોતાની જાતને ટટ્ટાર જાળવવા કોશિષ કરે છે. ફૂલીને ફાળકો થયેલો અહંભાવી માણસ અંદરથી ખાલીખમ હોય છે. બાહ્ય સમૃદ્ધિ, સ્થૂળ ચીજ-વસ્તુઓથી ખાલીપણુ, આંતરિક દારિદ્રય ભરવા માગે છે. પરિગ્રહથી એના અંતરની ગરીબાઈ ઓછી કરવાને બદલે એના અહમાં વૃદ્ધિ થાય છે. બહારના સુખથી અહની તરસ છીપતી નથી. પણ એની તૃષ્ણા વધે છે. અહંભાવી મહદ્ અંશે આત્મહીનતાના ભાવથી પીડાતો હોય છે. પરિણામે પદ, પ્રતિષ્ઠા, અધિકાર, સંપત્તિ વગેરે અભિમાનપોષક પ્રવૃત્તિમાં રત રહે છે અને કાયમી વ્યગ્ર અને વ્યથિત રહે છે. જીવનના સહજ આનંદથી વંચિત રહી જાય છે. નિખાલસપણે અન્ય સાથે હળીમળી નથી શકતો એકદંડી મહેલ- આઈવરી ટાવરમાં જ નિવાસ કરતો ક્રમે ક્રમે એકલવાયા-અટૂલો બની જાય છે. એને કોઈ આત્મીય હોતાં નથી. પોતાની પ્રશંસા સિવાય અન્યની પ્રશંસા સાંભળી શકતો નથી. ન શ્રદ્ધાવાન હોય છે, ન શ્રદ્ધેય બની શકે છે. સતત વ્યગ્રતા-વ્યાકૂળતા એને ગમગીન બનાવે છે. ઉદાસી - વિષાદ - ઘોર હતાશાની ગર્તમાં ધકેલાતો જાય છે. પરિણામે અનેક રોગોને નિમંત્રે છે. ઘોર હતાશામાં ડૂબેલા રહેતા લોકોને ગૉલબ્લેડરના દર્દ થવાની શકયતા હોય છે. ઘોર હતાશા એક મનોવૈજ્ઞાનિક અવસ્થા છે. માનસશાસ્ત્રમાં એને માટે અંગ્રેજી શબ્દ છે. 'Melancholia મેલેન્કોલીઆ. આ શબ્દ ગ્રીક Melas એટલે Black અને Chole એટલે ઉall પરથી ચલણમાં આવ્યો છે. વર્ષો પહેલાં ફેન્ચ નવલકથાકાર બાલ્ઝાકે પોતાની નવલકથા 'Cousin Pons' ‘કઝીન પોન્સ'માં મનોદૈહિક કથા વણી લીધી હતી. એમાં એક અપરિણિત પાત્ર હતાશાની ગર્તમાં ડૂબી જાય છે અને પછી ગોલ બ્લેડરના રોગનો ભોગ બને છે. હતાશભર્યું વલણ, શ્રદ્ધાનો અભાવ, ફયુમેટોઈડ આર્થરાઈટસ (એક પ્રકારનો સંધિવા)ને જન્મ આપે છે. અહમની ગતિ બહારથી અંદર ભણી છે. અહમનો ત્યાગ કરનારની ગતિ અંદરથી બહાર ભણી છે. સ્વાર્થ કે લાલસા બહારથી બધું અંદર લાવે છે. પ્રેમ, વિનમ્રતા અન્યોની ખેવના, પરમાર્થ અંદરથી બહાર વહે છે. પોતા ઉપરાંત બીજનો વિચાર કરે છે, એનો અહમ્ પાતળો પડે છે, શુભ કાર્ય કરવાનો આનંદ પ્રાપ્ત થાય છે અને માણસ પોતાના કોચલામાંથી બહાર આવે છે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે સંયમની આરાધના સહજપણે સરળ બને છે. આધ્યાત્મમાર્ગ પર ડગ માંડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy