SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ પૂજનીય છે. ઈશ્વરનો અનુગ્રહ માનવો તો બાજુએ રહ્યો. પણ આદર પણ દાખવતા નથી. જી, હાથ ધોઈને આપણે હાથ જોડી વંદન કરીએ છીએ, એ વાત વિસારે પડી છે. મન વિક્ષુબ્ધ થાય તો અન્નમાં ઝેર ભળી જાય છે. તેવી જ રીતે કામ, મોહ, લોભ, મત્સર, ભય આદિ મનોવિકાર પણ શરીરના શત્રુઓ છે, જે આપણા રકતને દુષિત કરી રોગિષ્ઠ બનાવે છે. પ્રો. એલ્ગર ગટ્સે લખ્યું છે. ‘‘મેં પ્રયોગ કરી જોયું છે કે ક્રોધ, કામ, લોભ, ઈર્ષા અને અન્ય મનોવિકાર શરીરમાં વિષાકત દ્રવ્ય ઉત્પન્ન કરે છે અને પ્રસન્નતા તથા શુભ ભાવના, ઉચ્ચ વિચારો અધિક માત્રામાં જીવનશકિત (Vitality-Life-force) ઉત્પન્ન કરે છે. ક્રોધાવેશમાં ન બોલવા માગતા હોઈએ તો બોલી જવાય છે. મન, વચન, કાયા ત્રણે નિરંકુશ થઈ જાય છે. ક્રોધ કરનારને તો ઉદ્વેગ થાય છે, પણ સામા માણસને પણ ઉદ્વેગ થાય છે. ઉદ્વેગ ન કરનારી, સત્ય તેમજ મધુર અને હિતકારી વાણી મૃદુતાથી બોલવી, એ વાણીનું તપ છે. અસત્ય, અસભ્ય, જીરું અને હિંસક વચન શબ્દની શકિતને હણે છે. ઉપનિષદોમાં વાણીનો અપાર મહિમા રજુ થયો છે. હિંમતવાન કે સત્યવાદી દેખાવા ઘણા કડવી વાણી ઉચ્ચારી ગૌરવ લેતા હોય છે. દ્રૌપદીએ ‘આંધળાના છોકરા આંધળા' ટોણો માર્યો અને સરવાળે મહાભારત સર્જાયું. મધુર વાણી એ પણ તપનું ફળ છે. ક્રોધ વાણીને વિષમ બનાવે છે. કોધ એ જીવનનું ઝેર છે. અક્રોધ દૈવી સંપત્તિનું લક્ષણ છે. — ગીતા - - બહુધા માનવીના મનની લગામ આવેગો અને ઉર્મિઓના હાથમાં હોય છે. બુદ્ધિ પણ એમનાથી જ દોરવાતી હોય છે. જે આવેગો ઉચાટ કરાવે, માણસને ઉભડક બેસાડે, તે ઉદ્વેગ. જેના મૂળિયાં હર્ષ, કોધ અને ભયમાં રહેલાં છે. હર્ષ પણ ઉદ્વેગનો જ એક પ્રકાર છે. હર્ષ અને અમર્ષ (ક્રોધ) વચ્ચે પાકી દોસ્તી છે. હર્ષનું સાતત્ય ખોટકાય એટલે અમર્ષ-ક્રોધ કબ્જો લેવા બેઠો જ હોય! હર્ષ (JOY) નથી સ્થાયી, નથી સ્વતંત્ર. એ પરાવલંબી છે. ઈન્દ્રિયજનિત છે, જેની ચાવી સ્થૂળ પદાર્થોની મુઠ્ઠીમાં કે અન્ય વ્યકિતની મુઠ્ઠીમાં પણ હોઈ શકે. જે દોષોનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે તે દોષસેવનને શાસ્ત્રીય ભાષામાં ‘પ્રતિસેવના’ કહેવામાં આવે છે. ‘પ્રતિસેવના’ થવાના દસ મુખ્ય કારણો ‘દવિહા પોડસેવણા પણત્તા' ભગવતીસૂત્રમાં દર્શાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy