SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગમાં કહ્યું છે : જે કોધને ત્યાગે છે, તે માનને ત્યાગે છે. જે માનને ત્યાગે છે, તે માયાને ત્યાગે છે. જે માયાને ત્યાગે છે, તે લોભને ત્યાગે છે. જે લોભને ત્યાગે છે, તે રાગને ત્યાગે છે, જે રાગને લાગે છે, તે દ્વેષને ત્યાગે છે. જે દ્વેષને ત્યાગે છે. તે મોહને ત્યાગે છે અને જે મોહને ત્યાગે છે. તે ગર્ભથી મુકત થાય છે. જે ગર્ભથી મુકત થાય છે. તે જન્મથી મુકત થાય છે. તે મરણથી મુકત થાય છે, જે મરણથી મુકત થાય છે, તે નરકથી મુકત થાય છે, જે નરકથી મુકત થાય છે, તે તિર્યંચગતિથી મુકત થાય છે અને જે તિર્યંચગતિથી મુકત થાય છે તે દુ:ખથી મુકત થાય છે. . ત્યાગના ફળનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કષાયો અને તેમાંથી ઉદ્ભવતી સ્થિતિથી માંડીને ઠેઠ ભવભ્રમણ સુધીનો આખો કમ વર્ણવી દે છે. આ સૂત્રમાં સમસ્ત પ્રાણીસમાજની ગંભીર ચિકિત્સા છે. આવેગો અને જીવાત્માના સંબંધનું બયાન છે અને સંસારના મૂળભૂત કારણોની રહસ્યમય સમીક્ષા છે. કોધને પ્રથમ સ્થાને ક્ષયની અપેક્ષાએ મૂકયું છે કશી પણ આસકિતમાંથી કામના-ઈચ્છા-આકાંક્ષા જન્મે છે. જેની પરિપૂર્તિ માટેના પ્રયાસમાં કોઈ નડતર અવરોધ કે અડચણ આવે, તો આવો અવરોધ કોધનું રૂપ ધારણ કરે છે. આના સંખ્યાબંધ દાખલા આપી શકાય. ઈસ્ત્રીવાળો મોડો પડ્યો, ગાડી લેટ આવી. કોઈએ અહમને ઠેસ પહોંચાડી, ટી.વી. સરખું ચાલ્યું નહિં. ચાવી જડી નહિં. દાળ સ્વાદ વગરની થઈ. દાળ બગડી તેનો દિવસ બગડયો. અપેક્ષાથી કશું ઘણું ઉતર્યું, એટલે ક્રોધ આવ્યો. કોધી માણસ ઠેસ વાગશે તો પત્થરને લાત મારશે. હકીક્તમાં પત્થર તો પોતાની જ જગાએ જ છે, માણસે એને ઠોકર મારી છે. ગુસ્સો પત્થરને આવવો જોઈએ! ધૂળ વસ્તુઓની ફેંકાફેંક - પછાડ-પછાડ ક્રોધના આવિષ્કાર છે. આપણે જડ વસ્તુઓ સાથે પણ કેટલો અનુચિત વ્યવહાર કરીએ છીએ! જર્મનીના આધ્યાત્મિક કવિ રિલ્ક એટલા ઋજુ હૃદયના હતા કે ઉંબરો ઓળંગતા બારણાને ઠેસ વાગે તો બારણાની માફી માગતા.” આપણે ઘૂળ જણસો સાથે કેટલો સહૃદયી વ્યવહાર છે, એના પરથી આપણી સંસ્કારિતાનું માપ નીકળી શકે. પુણ્યબળે માનવીને જે સુખ-સાધન પ્રાપ્ત થયાં હોય છે, તેની પ્રત્યે માણસને નથી કોઈ આદર, લેહાજ' કે કોઈ અનુગ્રહ. ઉછરતી પેઢી મહદ્ અંશે વિષયાનંદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy