SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આસુસ્સે ન ગાલછેલ્જ' કોધને તાબે થવાનું નહિ. આત્માની પ્રકૃતિ ક્ષમા છે, વિકૃત્તિ ક્રોધ છે. આત્માનો સ્વભાવ સમતા છે, વિભાવ તામસ છે. ક્રોધ એ સાધકનો મોટામાં મોટો દુશ્મન છે, કામચલાઉ ગાંડપણ જ ક્રોધને વશ થવાથી આવે છે. ક્રોધની આગથી થતી તારાજી ભયંકર હોય છે. ક્રોધ એક પ્રકારનું તોફાન છે. તે વિવેકને નષ્ટ કરે છે. ક્રોધની શરૂઆત મૂર્ખતાથી થાય છે અને પૂર્ણાહૂતિ પશ્ચાતાપથી. ઉત્તમ જીવનને કનિટ બતાવનાર કોધ છે. ક્રોધને વિષધર ભૂજંગ કહ્યો છે. માત્ર કોધથી જીવનમાં રહેલ બુદ્ધિ, સગુણ, વિવેક, વિનય, શુદ્ધ ચેતને વેરણછેરણ થઈ જાય છે. સારી કરણી પર પાણી ફરી જાય છે. ક્રોધે કોડ પૂરવતણો તપ પામે નાશ ચંડકૌશિક સર્પનું દ્રષ્ટાંત, એના પૂર્વભવોની વાત ક્રોધની વિનાશકારી શકિતનું દ્રષ્ટાંત છે. કોધની જવાળા હૈયે પ્રગટે તપી જતા સૌ અંગ જીભનો કાબૂ જતો રહે, જગને મોટો જંગ. તમારો મિજાજ એ કિંમતી વસ્તુ છે, એને ગુમાવતા નહિં. ભગવાન બુદ્ધ આનંદને કહ્યું : “જયારે કોઈ પણ વ્યકિત ક્રોધ કરે છે, ત્યારે તેનો શત્રુ સાત રીતે રાજી થાય છે. ૧. કોધી માણસ ઈચ્છે કે તેને શત્રુ કુરૂપ થઈ જાય, કારણ પોતાના શત્રુની સુંદરતા ક્રોધી સહી શકતો નથી. ગમે તેટલા સુંદર વસ્ત્રો છતાં ક્રોધ કરવાથી એને ચહેરો વિકૃત, વિકરાળ અને કુરૂપ બની જાય છે. એનાથી શત્રુ રાજી થાય. ૨. કોધી માણસ ઈચ્છે છે કે તેનો શત્રુ દુઃખી થાય, કારણ કોધી માણસ પોતાના શત્રુને સુખી જોઈ શકતો નથી. ક્રોધી માણસ ગમે તેટલી સુખ-સમૃદ્ધિમાં જીવતો હોય, પણ ક્રોધ આવતાં અંદરથી તો દુ:ખથી કણસે છે. એનાથી શત્રુ રાજી થાય છે. ૩. કોધી માણસ ઈચ્છે છે કે તેનો શત્રુ કંગાળ બની જાય, કારણ ક્રોધી માણસ પોતાના શત્રુની સુખ સાહેબી સાંખી શકતો નથી. કોધનો શિકાર થતાં માણસ સારા-નરસાનો વિવેક ખોઈ બેસે છે. અવિવેકી માણસ ધન સાચવી શકતો નથી. ધીમે ધીમે સંપત્તિ ઓછી થતી જાય છે. આ જોઈ ક્રોધીનો શત્રુ રાજી થાય છે. ૪. ક્રોધી માણસ ઈચ્છે છે કે તેનો શત્રુ કદી ધનવાન ન બને. કારણ ફોધી પોતાના શત્રુને ધનવાન બનતો જોઈ શકતો નથી. કોધી માણસ પોતાની તામસી પ્રકૃતિ થકી સફળતા પ્રાપ્ત કરી શકતો નથી, ઉલટી જે કંઈ મૂડી હોય, તે પણ ગુમાવી બેસે છે. આ જોઈને એનો દુશ્મન રાજી થાય છે. ૫. ક્રોધી માણસ ઈચ્છે કે પોતાના શત્રુની નામના ન થાય. કારણ કોપી માણસ શત્રુની કીર્તિ સહી શકતો નથી. કોધ કરવાથી માણસ-બુદ્ધિ ગુમાવી બેસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy