SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ તક્ત એકલપંથી. ઘર-ગૃહસ્થી સિવાય કોઈ બાબતમાં રસ નહિં. બરોબર ખાવા ટાણે જ પત્ની આર્થિક બાબતો ચર્ચો. ફલાણો ઉઘરાણી કરવા આવ્યો હતો કે આ બીલ ભરવાનું બાકી છે. હજી આ ચૂકવવાના છે. પૈસા કયાંથી આવશે, ઘર કેમ ચાલશે. બસ આજ વાતો! ડો. કેરીઓએ પત્નીને કડક સૂચના આપી દીધી. જ્યારે આટલી સારી, વાનગીઓ બનાવો છો, તો ઉમંગથી પતિને ખવડાવો. કટકટ કે કકળાટ બંધ કરો. પતિ જેના માટે આખો દિવસ ઢસરડો કરે છે, તે ભોજન તો એને સુખે ખાવા દો. આગ્રહ કરી ખવડાવો. મિત્રોને ભોજન માટે આમંત્રો વગેરે. પત્નીએ નિષ્ઠાથી આજ્ઞાઓ પાળી. એક મહિનાની અંદર પતિ સાજો થઈ ગયો. ડૉક્ટર સાથે ૧૧ વર્ષ સુધી પ્રેમ-પત્રવ્યવહાર ચાલ્યો. પતિ-પત્ની વચ્ચેના ઉર્મિલ-ભાવાત્મક સંબંધ અને અપચાને સીધો સંબંધ હોય છે. અમૃત જેવું ભોજન અમૃત જ રહેતો ગુણકારી નીવડે. નકામા હૈયા ઉકળાટથી જમવા ટાણે ભોજનને અપથ્ય ન બનાવવું જોઈએ. ડૉ. ઑસ્ટીન ફોક્ષ રીસે તારવ્યું છે. વાત વાતમાં ખોટું લાગી જાય - Over Sensitive લોકોનો અપચો થાય છે. માતા બાળકને બીજાને સોંપી ફરવા જાય છે ત્યારે બાળક અસલામતી અનુભવે છે અને ઉલ્ટીઓ શરૂ થાય છે. ડૉ. વિલ્બર અને ડૉ. મિલીસે માનસિક અપચાના ૩૫૪ દર્દીઓના અભ્યાસ પછી તારવ્યું કે ૩૦૩ કેસોમાં કોઈ શારીરિક દર્દ ન હતું પણ માનસિક અપચો હતો. પ્રેમ-હૂંફનો અભાવ ઘણા રોગો સર્જે છે. સોડાબાઈકાર્બથી અપચો નાબુદ થતો નથી. મનને સંયમમાં રાખી સ્વજનો સાથે સ્નેહભર્યા સંબંધ પ્રસ્તાપિત કરવા. હોજરી પર અંકુશ મનના અંકુશ દ્વારા આવે છે. આધુનિક જીવનરીતિનો ટેમ્પો જ ગતિશીલતા છે જે મેટબોલિક તંત્રને ઉત્તેજે છે. ખાવા-પીવાની આદતો બદલાઈ જાય છે. હજારો લોકો નર્વસ અપચાથી પીડાય છે. પેટ ભરીને પણ ન ખાવું, ઉણોદરી, તેને બદલે ઠાંસીને ખાવું, એટલે કે શરીર ઉપયોગમાં લઈ શકે તેનાથી વધુ ભોજનનો બોજો નાખવો એ શરીર પરનું આક્રમણ છે. માત્ર મેદવૃદ્ધિ થકી હૃદયરોગ, ડાયાબીટીસ, નસોની જરઠતા, જાડાપણું ઉપરાંત મેટેબોલીઝમની ગડબડ થાય છે. ૨૦ રતલ વધારે વજન એટલે વીસ રતલ વજનનો લોખંડનો સળીઓ ઊંચકી સાથે ફરવા જેવી વાત થઈ. માઈલોના માઈલ લોહીને વધારે ફરવું પડે છે. અને શા માટે? ડૉ. કેપ્રીઓએ લખ્યું છે, “મહાત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy