SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્ટેમ્બર ૧૯૯૧માં જ એમનો દેહાંત થયો. નાદબ્રહ્મમાંથી સંગીત નીપજયું. સંગીતની રચના શિવે કરી એવું કહેવાય છે. સંગીત પ્રથમ આવ્યું પછી શબ્દ. ટાગોરને સૂર પ્રથમ આવતા પછી શબ્દો. સંગીત એ દૈવી દેન છે. બ્રહ્માંડમાં પણ અલૌકિક Sepheric Music છે. માણસે ચાર વાનાં તો રોજ કરવાં જ જોઈએ. સંગીત સાંભળવું, એક કવિતા વાંચવી, એક નાનકડું પણ નિસ્વાર્થ કામ કરવું અને કદરના બે શબ્દો ઉચ્ચારવા. સ્વસ્થ માનવીના આ લક્ષણ છે. ઠેકરે કહેતા : A Good Laugh is a Sunshine in the house. હાસ્ય ઘરમાં આવતા કૂણા તડકા જેવો પ્રસન્ન અવસર છે. પણ આપણે આજે લાંબા લાંબા પડદા લગાવી સૂરજને પણ ઢાંકી દઈએ છીએ. સુશોભન માટે અને ધૂળ ન પ્રવેશ માટે, માનવીની બેવકૂફીની કોઈ સીમા નથી. જીવન અભિમુખ ન થઈએ તો સત્ય પણ ઢંકાઈ જાય છે. તડકાની જેમ! હસવાની ક્ષમતા- સ્મિતની મૃદુતા માત્ર માણસમાં જ છે. પ્રાણીઓમાં નહિ. પ્રાણીઓ જયારે ખૂબ આનંદિત હોય ત્યારે ઉછળે, નાચે, પૂંછડી પટપટાવે, આળોટે. આનંદના આ આવિષ્કારો છે. સીતાને પૂર્વસ્મિતભાષીણી' પણ કહેવાય છે. બોલતાં પહેલાં નાનકડુંનાજુક સ્મિત મલકાટ કરે. આ સિદ્ધિ નાનીસૂની નથી. અંતરના આનંદ વગર સ્મિત, પ્રસન્નભાવ ચહેરા પર પ્રગટતો નથી. કોઈ સમાજ કેટલો સ્વસ્થ છે, એનું માપ એના સ્મિત પરથી મળે છે સ્મિતવાળા ચહેરા આપણને ગમે છે. ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રના ગાઢ સંપર્કમાં હતા. શ્રીમદ્ વિષે એમણે લખ્યું છે: “એમનો ચહેરો હસમુખો અને પ્રલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા રહેતી. ગાંધીજીએ શ્રીમની અંતરાનંદની વાત મજબૂત રીતે પકડી - આત્મસાત કરી. ગાંધીજી હસતા ત્યારે વેસૂવું હસી ઉઠતું ૫. જવાહરલાલ નહેરુએ લખ્યું છે : 'His Smile was delightful. His laughter infectious.' - 244j Rud આહલાદક હતું, હાસ્ય ચેપી. એમનામાં આકર્ષણથી ભરપૂર એવી બાળસુલભતા હતી. પ્રલ્લિતા માનવીના સ્વભાવનો હિસ્સો બની જવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy