SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ તંદુરસ્તી સહજ હોઈ શકે. રોગ કદી સહજ ન હોય. રોગ એ સામાન્ય-નોર્મલ બાબત નથી. એબનોર્મલ છે. DISEASE નો અર્થ છે: જે આરામપ્રદ કે સરળ નથી. રોગ એ રોજિંદી ઘટના હોય, અને નિરોગી હોવું વિશિષ્ટતા લેખાતી હોય, એ સમાજ રુગ્ણ ગણાય. ઈર્ષ્યા, દ્રેષ, આસકિત, વેર-ઝેર, મનની હિંસા વગેરે મનની ગંદકી છે. આ ગંદકી સાફ થાય, ચિત્ત શુદ્ધ થાય તો માનસિક નિર્મળતા આવે. ૧૫ નિર્મળતા અને જ્ઞાનનું પરિણામ છે: નિરામયતા. આ ત્રણે તત્વો જીવનમાં સત્ત્વગુણને સંકોરે છે અને સત્ત્વ ગુણ જીવનને પ્રકાશમય, સુખમય અને નિરામય બનાવે છે. ― શ્વેતાશ્વર ઉપનિષદમાં શાંતિમંત્રમાં કહ્યું છે - તેજસ્વી નરૈ અધીતમ અસ્તુ. અમારૂં ભણેલું એટલે કે અમારી વિદ્યા તેજસ્વી થાય. આપણું અંત: સત્ત્વ એટલે આપણું તેજ. એને સંગોપન અને સંવર્ધન કરવાનું છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસજીએ કહ્યું છે: द्गिविधो जायते व्याधिः शारीरो मानसस्तथा । परस्परं तपोर्जन्य निर्दन्द नोपलक्ष्यते ॥ શારીરાખાયતે વ્યાધિર્માનસો નાત્ર સંશય | मानसाज्जायते व्याधिः शारीर इति निश्चय || અર્થાત્ જે વિવિધ દુ:ખ આપે તેનું નામ વ્યાધિ. એના પ્રકાર છે શારીરિક અને માનસિક, બન્ને પરસ્પર એકબીજાને જન્મ આપે છે. એકે સ્વતંત્ર હોતાં નથી. શરીરમાંથી મનના અને મનમાંથી તનના રોગો જન્મે છે, એમાં સંશય નથી. ‘Psychosomatic’ મનોદૈહિક રોગ એ તો આજનું નવતર અન્વેષણ છે; જયારે પ્રાચીનકાળમાં મહર્ષિ વ્યાસે મહાભારતમાં આની સમજણ આપી છે. નોબેલ પ્રાઈઝ વિજેતા ડૉ. એલકેલીસ કરેલે તથા ડૉ. કેનેથ વોકરે પણ એને સમર્થન આપ્યું છે. ડૉ. એલેકસીસ કેરલે ‘Man the unknown'માં તન અને મનની પરસ્પર સંકળાયેલી પ્રક્રિયાની સમજણ આપી છે. 'Miracle of mind over Body' મનનો શરીરતંત્ર પર ચમત્કારિક પ્રભાવ હોય છે. એથી ઉલ્ટું શારીરિક અવસ્થા પણ મનને પ્રભાવિત કરે છે. માનવીનું મન એ ‘મગજ’ની કામગીરી છે. અને ‘મગજ’ એ શરીરનો જ એક હિસ્સો છે એટલે એક રીતે કહીએ તો બેઉ એક જ છે. માનવીનું દૈહિક સ્વરૂપ તદ્ન શારીરિક નથી હોતું. શારીરિક કે દૈનિક દિનચર્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy