SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સ્વસ્થ, સમતલ, સમતોલ માનવી વિના સ્વસ્થ સમાજ અસંભવ છે. માણસોથી જ તો સમાજ બને છે. આધ્યાત્મિક તંદુરસ્તી : તન, મન અને બુદ્ધિની સ્વસ્થતા. માણસનો પોતાના ‘સ્વ’ સાથેનો મેળ. માનવી પોતામાં જ પોતા વડે જ સુખ-શાંતિ ન પામે, અને બહાર એના માટે ભટકે, ફાંફા મારે, તો એવી કૃત્રિમતા ઝાઝો સમય ટકતી નથી. માણસ પોતાથી જ જુદો પડી જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહેતા : ‘સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહિં મળે.' પોતાની સ્વસ્થિતિથી જે સુખ કે શાંતિ નથી પામતો, તે કયાંય ઠરતો નથી. આંતરિક સંવાદિતા કેળવવી પડે છે. બુદ્ધિ પર બહુ મદાર રાખવા જેવું નથી. બુદ્ધિનું એક કાર્ય એ પણ છે કે બુદ્ધિની મર્યાદા સમજવી. પ્રેમ, સહિષ્ણુતા, આદર. ભલમનસાઈ, સરલતા વગેરે. સવૃત્તિઓ આત્મબળથી જ વિકસાવી શકાય છે. તેમાં તર્ક કામ નથી આવતું. ગરીબને રોટલો આપવો, માંદાની માવજત કરવી અનાથ બાળકોને પ્રેમ આપવો, શિક્ષણ આપવું, માનવીની મૂળભૂત સજજનતામાં, સારાપણામાં શ્રદ્ધા રાખવી. અરે પોતાનાં મેલાંઘેલાં માટીથી લીંપાયેલ ગંદા બાળકને પણ મા-બાપ બન કરે છે, ઉચકી લે છે, આ બધા તર્કના વિષયો નથી. મા-બાપ સાથે તાર્કિક દલીલો કરી શકાય, તાર્કિક અનાદર નહિં. ઘણી અનુભૂતિઓ આંતરિક હોઈ શકે, અનુભવગમ્ય હોય, બુદ્ધિગમ્ય નહિં. અતિ બુદ્ધિ, તીક્ષ્ણ તર્ક માણસને અશાંતિ અને જડતા તરફ ઘસડી જાય છે. બુદ્ધિ માત્ર સાધન છે. સાધ્ય નહિં. સરવાળે તો બુદ્ધિ વડે બુદ્ધિથી પર થવું. શરીર દ્વારા શરીરથી ઉપર ઉઠવું. ઈન્દ્રિયોની મદદથી ઈન્દ્રિયાતીત થવું, મન વડે અમન થવું એજ આધ્યાત્મિક ભૂમિકા અને આધ્યાત્મિક તંદુરસ્તીનું ઉપસ્થાન. આજની ત્રસ્તગ્રસ્ત અને તાણયુકત માનવજાતની ઝંખના શાંતિની છે. શાંતિ સહજ છે. પણ માનવી એવી શાંતિ માટે કોઈ ઉત્કટ ઈપ્સા-અભીપ્સા સેવતો નથી. એટલે કોઈ ભગીરથ આયાસ પણ કરતો નથી. માત્ર જે છે, એનો પરિચય જ કેળવવાનો છે. દરવાજો ખુલ્લો જ છે માત્ર દરવાજા સુધી યાત્રા જ કરવાની છે. તંદુરસ્તીની તમામ વિભાગ-વિભાવના લક્ષમાં લઈને સંક્ષેપમાં કહી શકાય કે શરીર, મન અને ચેતનાની ત્રિવેણીમાં સમતુલા હોય તો માનવી સ્વસ્થ કહેવાય. કોઈપણ એકનું સંતુલન ખોરવાય તો રોગાવસ્થા ઉત્પન્ન થાય. દુ:ખ અને પીડાનો અભાવ - એમાં અભાવ તો હોય જ છે જયારે સ્વસ્થતામાં વિધાયક અને કશુંક નકકર, માણી શકાય, આનંદ પૂરે એવું તત્વ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy