SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મનોવૃત્તિ, પેટમાં કોઈ વાત રહે નહિં, તરત જ કે, તો નિરાંત થાય, આ માનવીની પૂરા સમાજના જીવનરીતિ બનતી જાય છે. માણસના અંગત, - વિશેષત: જાતિય જીવનને લગતી બાબતો નિંદા-ચર્ચાનો વિષય બનતી હોય છે. પોતાના જાતિય વાસનાનો અસંતોષ માણસને બીજાના જાતિય જીવનમાં ડખલ કરતો કરી દે છે. આ એક પ્રકારની વેર વાળવાની વિક્ત મનોદશા છે. વિશ્વ ચેતનાથી વિભૂષિત, માનવી જેવો માનવી, કુદરતનું અનુપમ સર્જન. બે કોડીની વાતોમાં સમય- શકિત અને વાણીનો વ્યય કરે એ માત્ર કરુણ જ નહિં પણ અક્ષમ્ય અપરાધ છે. રામાયણની મંથરાની ચડામણી, ધોબીની ગુસપુસ સુવિદિત છે. અનેક લગ્નજીવન બરબાદ થાય છે. અનેક કુટુંબો પાયમાલ થાય છે. નિંદા-કુથલી, ચાડી એ અસામાજિક વર્તણૂક છે. સમાજનું કેન્સર છે. જૈન દર્શનના અઢાર પાપ સ્થાનકોમાં અભ્યાખ્યાન, (નિંદા-કુથલી) અને ચાડી-ચુગલીનો સમાવેશ કરવામાં આવ્યાં છે. એ પાપના દ્વાર છે. ગીતામાં દેવી સંપત્તિના ગુણોમાં “અપૈશુનમ” પણ છે. કોઈની અંગત, બાબત જાણતા પણ હોઈએ, તેને પેટમાં ધરબી રાખવી તે અપૈશુનમ. ગુણવંત શાહે સરસ લખ્યું છે: નનામો કાગળ લખનાર પોતે જ પોતાના અસ્તિત્વની નનામી ઊંચકતો હોય છે. અપશુનમ માનસિક સ્વસ્થતાનું પરિણામ છે.” સમાજની ગંદકીથી બચવા, સમાજને ગંદકીથી બચાવવા અપૈથુન કેળવવું જ રહ્યું. સામાજિક મોભો, વાહવાહ, પંચાતગીરી, સત્તા, પ્રતિષ્ઠા, દેખાડો, ઠઠારો, સંપત્તિનું બિભત્સ પ્રદર્શન વગેરે સમાજનાં શ્રીમંત દેખાવા માટે, હોશિયાર દેખાવા માટેના પ્રયોગો છે. પોતાને મોભો સાચવવામાં જ જીવન વેડફાઈ જાય છે અને જંપ વગર અનેક રોગો ઘર કરી જાય છે. માનવીને પ્રથમ દારેષણા, (પત્ની) પુત્રેષણા, વિષણા, ધન પ્રાપ્તિ અને બધું મળી ગયા પછી સરખું કમાઈ લીધા પછી લોકેષણા-પ્રતિષ્ઠાની ભૂખ જાગે છે. ગમે તે ભોગે ધન એકઠું કરનારને ગીતાએ કામક્રોધ પરાયણ: કહ્યો છે. યોગ્ય પાત્રને પ્રતિમા સહજ મળે છે. અયોગ્ય પાત્રને પ્રતિષ્ઠા યેનકેન પ્રકારેણ ઉભી કરવી પડે છે. વાહવાહ કયારે હવા થઈ જાય છે. એની ખબર માણસને બહુ મોડી પડે છે. કૂકડો સમજે કે મારું સૂરીલું મૂકડે કૂક સાંભળવા માટે જ સૂરજદાદા પૃથ્વી પર આવે છે, એવી વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy