SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આહાર, વિહાર, નિદ્રા, ભય, મૈથુન, આદતો અને સર્વ સાધારણપણે મનમાં ઘોળાતા અને ઉભરાતા વિચારોનાં સંમિશ્રણથી શારીરિક આકૃતિ આકાર ધારણ કરે છે અને સ્નાયુઓની અને શરીરના અન્ય અવયવોની કામગીરી, સ્વાસ્થ, માનસિક અવસ્થા અને માનસ પર સતત ઝિકાતા પરિબળો, એવા પરિબળો સામે સંતુલન જાળવી શકવાને માનસિક અભિગમ વગેરે પર અવલંબે છે અને એમનાથી પ્રભાવિત થાય છે. ચહેરાનો ઘાટ અને રેખાઓ, મોઢાની આસપાસ ખેંચાયેલી રેખાઓ, હોઠના ખૂણાઓ વગેરે સ્નાયુઓના સ્વભાવત માળખાથી સ્થિત અને સ્થિર થાય છે અને સ્નાયુઓની આ પરિસ્થિતિ માનસિક અવસ્થા અને પરિબળો પર અવલંબે છે. ચહેરાની કુમાશ, નમણાશ, સૌન્દર્ય વગેરે ચહેરાના સ્નાયુઓ અને રેખાંકનોને નૌસંર્થિક અને સંવાદિત સાયુજ્ય (હારમની)થી પ્રગટ થાય છે; આવિર્ભાવ પામે છે અને પરાવર્તિત થાય છે. માત્ર આકૃત્તિની દ્રષ્ટિએ સારા ફીચર્સવાળા ચહેરાઓ પણ આપણને ઘણીવાર ગમતા નથી. ગોરા, રૂપાળા હોવા છતાં કેમ ન ગમે? ચહેરાની એક નાનીશી રેખા કરડાકીને નિરાશાનો ભાવ દર્શાવી દે છે. જગત પ્રત્યે સતત વૈમનસ્યની લાગણી પોષતા માણસોના સ્થાયી અંતરભાવ કરડાકીનો હોય, જે ચહેરાની રેખાંકનોમાં સ્થિર-સ્થાયી થઈ જાય છે. સતત ઉદાસીમાં રહેતા માણસોના નિરાશાવાદી ચહેરા આપણને પણ ઉદાસ કરી મૂકે છે. જ્ઞાનમાં બોજથી બેવડ વળી ગયેલા માણસોના ચહેરા ઘુવડગંભીર અને ગમગીન લાગે છે. અહંકારી માણસની તો દ્રષ્ટિ જ સ્થિર નથી હોતી. પ્રસન્ન માણસ, ઝેર પચાવી અમૃતમય થઈ ગયેલો માણસ નિજાનંદથી સભર હોય છે. રંગરૂપ ગમે તેવા હોય, આપણને એ ગમે છે. ભલા માણસની ભલાઈ તરત ચહેરા પરથી પરખાઈ જાય છે. પોલીસે ગુનેગારોને ઓળખી લે છે. FACEREADERS- ચહેરા ઉકેલવાવાળા જયોતિષિઓ રેખાઓ ઉકેલી ઘણું બધું કહી શકે છે. કુદરતની ચિત્રકલા જબરી છે. નાની શી રેખામાં બધુ છતું કરી દે છે. લિંકને એક ઉમેદવારને ઉચ્ચ પદવી માટે નાપાસ કર્યો. સેક્રેટરીએ પૂછયું તો લિંકને જવાબ આપ્યો. “મને એનો ચહેરો ગમ્યો નહિ. સેક્રેટરીએ કહ્યું.' બિચારાનો શો દોષ? ચહેરા થકી એને શોષવું પડે? લિંકને કહ્યું “દરેક માણસ પોતાના ચહેરા માટે જવાબદાર છે. Face is the mirror of mind. એન્ડોક્રાઈન નિષ્ણાતો માને છે કે પ્રબળ જિજીવિકા અને મગજમાં જે રાસાયણિક સંતુલન છે, એ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. જિજીવિષાનું મહત્વનું પાસું છે. સર્જનાત્મકતા... સર્જનાત્મકતાને કારણે મગજમાંથી પ્રાણવાન આવેગો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy