SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ચિંતા-યુગ મ નોવિજ્ઞાનીઓએ ચાર યુગો વર્ણવ્યા છે. સત્તરમી સદી, તે પ્રજ્ઞાઉદયનો યુગ, અઢારમી સદી તે તર્ક-બુદ્ધિમત્તાનો યુગ. ઓગણીસમી સદી તે પ્રગતિનો યુગ અને વીસમી સદી તે ચિંતા - ઉપાધિનો યુગ. (1) Age of Enlightenment, (2) Age of Reason, (3) Age of Progress and (4) Age of Anxiety. આજના યુગના માનવીનું પ્રધાન લક્ષણ છે ચિંતા. ચિંતાને ચિતા સમાન કહી છે. ચિતા તો છેલ્લે અગ્નિથી બાળે છે. ચિંતા હરપળ માણસને બાળતી રહે છે. ચિંતા એટલે માનવીએ સ્વેચ્છાથી વેંઢારેલો બોજો. આપણામાં એક શબ્દપ્રયોગ છે: ‘‘ચિંતા કોરી ખાય છે.’' બહારથી સુશોભિત દેખાતા ફર્નીચરમાં જેમ ઉધઈ અંદરથી કોરી કોરી એને ખોખલું કરી નાખે છે. તેમ સતત કોરતી ચિંતા અંદરથી માણસને ખોખલો બનાવી દે છે, બહારથી ભલે સુશોભિત દેખાતો હોય. શ્રદ્ધાનો અભાવ હોય, ત્યાં ચિંતા આવીને ભરાઈ જાય. મુખ્યત્વે ચિંતા ભવિષ્યની હોય. ભાવિની અચોકકસતા માણસને ચિંતાગ્રસ્ત બનાવે છે. ચિંતાનું પૃથકકરણ આ પ્રમાણે કરી શકાય : દરેકને કોઈને કોઈ પ્રકારની ચિંતા તો હોય જ છે. થોડીક સાચી, અર્થાત્ સાહજિક અને મોટાભાગની ખોટી, કાલ્પનિક. બની ગયેલી ઘટનાઓ, જે ઈચ્છા મુજબ ન બની હોય, તેનો રંજ Regrets માણસને રહ્યા જ કરે છે. જીવનભર માણસ આવી ‘રીગ્રેટસ’ જમા કરતો જાય છે, જે સરવાળે ચિંતાનું સ્વરૂપ ધારણ કરે છે. અતીતને બદલી શકાતું નથી. બની ગયેલી, પરંતુ ગમે તેટલી ચિંતા કરવાથી બદલી ન શકાય. તેવી બાબતોની ચિંતા ૩૦ ટકા. ભવિષ્યની ચિંતાના વિષયો છે. (૧) આર્થિક સલામતીપણુ, આજીવિકા-સાધન, (૨) સંતાનોનું ભવિષ્ય, (૩) વૃદ્ધાવસ્થા-માંદગી. આર્થિક ચિંતા શ્રીમંતોને વધારે પીડે છે. કાલે નહિં કમાઈ શકીએ તો? સંપત્તિ સંચય આ ચિંતામાંથી જન્મે છે. ઓછું હશે તો જીવનધોરણ અનુસાર કેમ જીવાશે? કોઈ આપત્તિ આવી પડી, વૃદ્ધાવસ્થા કે માંદગી દરમ્યાન સંતાનો પાળશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy