SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ પણ ડરે છે. મૃત્યુનો ભય તો માણસને લાશવત્ બનાવી દે છે. અભય વગર અહિંસા ટકી ન શકે. નિર્લેપતા વગર અભયની અવસ્થા આવી ન શકે. ન અભય સર્વ સદ્ગુણોનો પિતા છે, શિરોમણી છે. નિર્ભય માણસ કોઈને ભય પમાડતો નથી અને કોઈથી ભય પામતો નથી. એટલે જ આનંદધનજીએ અદ્ભુત મસ્તીમાં ગાયું : Y “અબ હમ અમર ભયે ન મરેંગે. ધ્યાન માટે આવશ્યક છે: મુમુક્ષુતા, પ્રામાણિકતા અને નિર્ભયતા. ખરૂ બળ તો નિર્ભયતામાં રહેલું છે. શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી. ભયપીડિત માણસ ધ્યાનમાં બેસે, તો પણ સંભવત: આર્ત કે રૌદ્રધ્યાનમાં સરી પડે છે. પરમતત્વનું ચિંતન-ધ્યાન સંભવત: ભયનિવારણમાં મદદરૂપ થાય. ‘જીવનની દિશા બદલ્યા વગર, આચારનો વિવેક જાળવ્યા વગર, આહાર, આજીવિકા પ્રામાણિક ન હોય તો યે અને ગોરખધંધા ચાલુ રાખીને ય ધ્યાન થઈ શકે, એવા ખ્યાલથી ઘણા લોકો ધ્યાનમાં બેસે છે.’ (ગુણવંત શાહ) યોગ એક પ્રચલિત લોકપ્રિય વિધિ થઈ ગઈ છે. તાજમહલ હોટેલમાં ભારે ફી લઈ, સવારના દોઢ કલાક યોગના કાર્યક્રમો થતાં. શોખીન ધનવંતો મોટરમાં ત્યાં પહોંચી જતા. આ કાર્યક્રમ આઠ દિવસનો રહેતો. એનું શિર્ષક ‘ઈન્સ્ટન્ટ યોગ’ તત્ક્ષણ યોગ. કંઈક પામવાની લગની હોય એવા ભાઈ બહેનો આ કાર્યક્રમમાં જોડાતા. પણ સાધના-ઉપાસનામાં કશું ઈન્સ્ટન્ટ નથી. કશું તત્ક્ષણ નથી. કોઈ શોર્ટ કટ નથી. આંખના પલકારા જેટલા સમયમાં મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું. પણ એ પલકારો સાડા બાર વર્ષની દીર્ઘ તપસ્યા પછી ઝબક્યો. યોગશાસ્ત્રનું ‘વિવેકજન્મ તારકજ્ઞાન' તે જ કેવળજ્ઞાન. ધ્યાનમાં સ્થિરપણુ શ્રદ્ધા, અવિચળતા, અપ્રમાદ અને આકાંક્ષાવિહિનતા અભિપ્રેત છે. શ્રીમદ્ રાજચંદ્રએ લખ્યું છે: ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. છેલ્લે લખ્યું છે. દેહ છતાં જેની દશા વર્ષે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy