SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ અપ્રમત્ત દશા પછીનું સહજધ્યાન એ શુકલધ્યાન અને તેનું આલંબન એ ધર્મધ્યાન, રૂપાતીત પરમાત્માનું કે તેના ઉચ્ચ ગુણોનું ધ્યાન ધરવું, તે જ ધર્મધ્યાન છે, અને તેજ વિકાસમાં ઉપયોગી છે. શ્રી અરવિંદ કહેતા ૧૦ મીનીટની યોગ-નિદ્રા માણસ માટે પૂરતી હોય છે. ‘કાઉસગ્ગ’ શબ્દ સંસ્કૃત’ ‘કાયોત્સર્ગ’ પરથી આવેલો છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ. ‘કાયાસ્ય ઉત્સર્ગ’ : કાયોત્સર્ગ: ઉત્સર્ગ એટલે છોડી દેવું, તજી દેવું. કાયોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા. શરીર પરની મમતા છોડી દેવી. જૈનશાસ્ત્રોમાં કાયોત્સર્ગ ઉપરાંત ‘શ્રૃત્સર્ગ’ શબ્દ પણ વપરાયો છે. વ્યુત્સર્ગ એટલે વિશેષપણે છોડી દેવું. વ્યુત્સર્ગ પરથી અર્ધમાન્ધી ‘ઉસગ્ગ’ શબ્દ આવેલો છે. આત્યંતર તપમાં ધ્યાન કરતાં પણ કાઉસગ્ગને ઊંચામાં ઊંચુ, છેલ્લું અને ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે કર્મની નિર્જરા માટે શ્રેષ્ઠ તપ છે: કાઉસગ્ગ. માત્ર વાણીનો સંયમ તે મૌન. વાણી અને મન બન્ને પરનો સંયમ તે ધ્યાન. વાણી, મન તથા કાયા એ ત્રણેની સ્થિરતા તે કાઉસગ્ગ. જેમાં મન અને વાણીના સંયમ અથવા નિયંત્રણ ઉપરાંત શરીર ઉપરના સંપૂર્ણ નિયંત્રણની પૂરી અપેક્ષા રહે છે. કાઉસગ્ગમાં ધ્યાન અપેક્ષિત છે. એકલા ધ્યાન કરતાં કાઉસગ્ગ-ધ્યાન વધુ ચડિયાતું છે. કાઉસગ્ગ ધ્યાન વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ નથી. કાઉસગ્ગની મુદ્રાઓને ‘જિનમુદ્રા’ પણ કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રાનુસાર છ આવશ્યક ક્રિયાઓમાંની એક છે. કાઉસગ્ગ : કાઉસગ્ગ એક પ્રકારની આધ્યાત્મિક યોગ પ્રક્રિયા છે. કાઉસગ્ગમાં નવકાર મંત્ર, લોગસ્સ, પંચપરમેષ્ઠિ, જિનેશ્વરના ગુણોનું ધ્યાન ધરવામાં આવે છે. નવકારમંત્રનો કાઉસગ્ગ આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ અને લોગસ્સનો પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણનો હોય છે, ગણધરરચિત લોગસ્સસૂત્ર મંત્રગર્ભિત છે. અને એની સાથે યોગપ્રક્રિયા જોડાયેલી છે. વિશિષ્ટ શકિત આપનાર અને કુંડલિની જાગૃત કરવાની શકિત હોય છે. પ્રાણાયામ સાથેના કાઉસગ્ગનું ફળ મોટું છે, એ જે ન કરી શકે તે મંત્ર કે સૂત્રના વાચિક કે માનસિક જાપ પણ કરી શકે. ક્રોધ, માન, માયા, લોભના ઉપશમ માટે, દોષોની આલોચના માટે, પ્રાયશ્ચિત માટે, દુ:ખક્ષય, કર્મક્ષય માટે, ચિત્તશુદ્ધિ માટે, મોક્ષપ્રાપ્તિ માટે વગેરે વિવિધ હેતુઓ માટે કાઉસગ્ગ કરવાનું વિધાન છે. સ્થૂળ દેહમાં પ્રબળ આસકિત કાઉસગ્ગને સ્થૂળ બનાવી દે છે. દેહરાગનો ત્યાગ, એ કાઉસગ્ગનું પ્રથમ લક્ષણ છે. અંતર્મુખતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy