SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ કે ધ્યાન સંભાવતાં નથી. એમ પણ દર્શાવ્યું છે. જૈનસૂત્રોમાં અનેક આસનોનો ઉલ્લેખ છે. ધ્યાન-સાધના માટે પદમાસન, પર્યકાસન, સિદ્ધાસન, વિ. જે દ્વારા સહ્યતાકે સુખ-સહજતા રહે, તે સુખાસન જણાવેલ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તથા ગણિશુભચંદ્રજીએ કોઈ એક આસનનો આગ્રહ ન સેવતાં બાતાને ધ્યાનમાં નિશ્ચલ રાખે, એવા અનુકૂળ આસનનું સેવન કરવા જણાવેલ છે, જે સ્થિર હોઈ સુખદાતા બની રહે. જૈનદર્શન અનુસાર શુકલધ્યાન અને ધર્મધ્યાન શુભ છે. આર્ત અને રૌદ્ર ધ્યાન અશુભ છે. અશુભ, વિષય કે કષાયમાં લયલીનતા, એકાગ્રતા અને ધ્યાનપણું હોવા છતાં તે ધ્યાન’ નથી, પણ મૂછ છે. ધ્યાન’ છતાં બેધ્યાનપણું છે. અનવિસ્થત (પોતાનામાં સ્થિર નહિં એવો) ચિત્ત-વૃત્તિવાળો જીવ ધ્યાનસ્થ ન કહી શકાય. યોગશાસ્ત્રમાં ધ્યાન-ધારણા-સમાધિને “સંયમ” એક શબ્દમાં વર્ણવી તેની એકાત્મતા દર્શાવી છે. ધર્મધ્યાનના ચાર ભેદ સૂત્રોમાં વર્ણવ્યા છે. (૧) પદસ્થ, (૨) પિમ્હસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. ધર્મધ્યાન બે પ્રકારે થઈ શકે. (૧) સાલંબન (૨) નિરાલંબન. જૈનદર્શન ધર્મધ્યાનથી જ ધ્યાનનો પ્રારંભ માને છે; પણ તે ધ્યાન માનવતા, શ્રવણ, વિચાર, જ્ઞાન, ચિંતન અને મંથન પછી જ જન્મે છે. એટલે તેટલી યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. તે યોગ્યતા-પાત્રતા વિના કરેલું ધાન વિકાસનું સાધક નીવડતું નથી. જયાં સંયમ નથી, ત્યાં જ્ઞાન નથી અને જ્ઞાન નથી ત્યાં ધ્યાન શાનું હોય? પ્રત્યેક ક્રિયા પાછળ સૌથી પ્રથમ આંતરિક વિકાસ જોઈએ, એવું જૈનદર્શનનું મંતવ્ય છે. બહારનો સાધનવિકાસ થયા પછી સ્વયં આંતરિક વિકાસ થઈ શકે છે. એવો કેટલાંક દર્શનો, મતો કે પંથોનો મત છે, તેને એ સ્વીકાર્ય ગણતું નથી. જૈનદર્શનમાં યોગનો પ્રારંભ આ રીતની વિકાસમય દ્રષ્ટિથી થાય છે. જૈનદર્શને તો યોગ પર ત્યાં સુધી ભાર આપ્યો છે કે કોઈપણ મુમુક્ષુની પ્રવૃત્તિ-આત્મ-ચિંતનયોગ સિવાય ન જ હોવી ઘટે. અહીં સ્મરણમાં રાખવાનું કે જૈનદર્શનમાં એનો નિર્દેશ યોગ શબ્દથી નહિ, પણ ધ્યાન શબ્દથી છે. (ઠણાંગ, સમવાયાંગ, ભગવતી, તત્વાર્થાધિગામ વિ. સૂત્ર તથા શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગવિષયક સ્વતંત્ર ગ્રંથો આનો નિર્દેશ આપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy