SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કુટુબીજના કલ્પસૂત્રમાં ત્રિશલાને વાશિષગેાત્રની કહી છે અને તેનાં નામે ત્રિશલા ઉપરાંત વિદેહણ્ણિા અને પ્રિયકારિણી પણ કહ્યાં છે (૧.૬). તે જ પ્રમાણે કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયનાં પણ નામન્તરામાં તેમાં સેન્જ'સ અને જસસ જણાવ્યાં છે (૧૦૫). અને તેમના અન્ય સગા-સંબધીઓમાં કાકા સુપા, મોટાભાઈ ૨૧'દિધન અહેન સુદાણાનાં નામેાના નિર્દેશ છે. કૌણ્ડિન્ય ગાત્રની યશાદાને ભાર્યા કહી છે. (૧૦૭). ભ,મહાવીરની કાશ્યપાત્રીય એક પુત્રીનાં નામે અનવદ્યા અને પ્રિયદર્શીના હતાં. 'પુત્રીની પુત્રી પણ કાશ્યપગોત્રીય શૈષવતી અને યશસ્વતી નામે ઓળખાતી હતી (૧૦૮–૯) કલ્પમાં જેટલા વિસ્તાર સ્વપ્નાનાં વર્ણનામાં મળે છે તેના પ્રમાણમાં આ હકીકતા માત્ર નામ પૂરતી જ છે અને તેમના ગૃહસ્થજીવનની અન્ય કશી હકીકતા આપવામાં આવી નથી. આવુંજ આચારાંગમાં પણ છે (૧૭૭). માતા-પિતા ‘પાસાવચ્ચિજ્જા' પાૉ-પયિક હતાં એટલે કે પાનાં અનુયાયી હતાં અને મરીને અચ્યુત દેવલેકમાં ગયાં એટલી વધારાની માહિતી આયારાંગમાં છે (૧૭૮). ૧. ઉત્તરપુરાણમાં ત્રિશલાને બદલે પ્રિયકારિણી નામ છે—–૭૪.૨૫૬. હરિવંશપુરાણમાં ત્રિશલા અને પ્રિયકારિણી બન્ને છે. ૨.૧૬,૧૮. ૨. ચઉપન્નમાં તે “નિશિલ માળો ૨૦૬, વાન'' (પૃ. ૨૭૨) છે તેથી તેમને મતે નાનાભાઈ ઠરે. . ૩. આચારાંગમાં આને જ્યેષ્ટભગિની કહી છે. આચા. ૨.૧૭૭ ૪. કલ્પમાં–‘કાસવી’=કાશ્યપી છે (૧૦૯) પર`તુ આચારાંગમાં ‘કાસિયા’—કૌશિકા પાઠ છે, ૧૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy