________________
મહાવીરચરિત મીમાંસા
છે. અને સાથે જ ભ.મહાવીરની સાધના કાળનું જે વર્ણન છે તે તરફ ધ્યાન આપીએ તો જણાશે કે ભ.મહાવીરે જે કાંઈ સફળતા પ્રાપ્ત કરી છે તેમાં આ પ્રકારના સંબંધો કરતાં તેમનાં ત્યાગ અને તપસ્યાને પ્રભાવ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે એમ માનીએ તે અસંગત નહિ જણાય. આમ પિતૃપક્ષને આધારે તેમના કુળને નિર્દેશ જ્ઞાતૃકુળ થયો પરંતુ તેમના માતાના કુળને આધારે પણ તેમને ઉલેખ થયેલ છે.
ભ.મહાવીરને વિદે, વિહિને, કિન્નર વિહૂai (આચા. ૨.૧૭%) એવાં જે વિશેષણો આપવામાં આવ્યાં છે તે તેમની માતાના કુળને આધારે છે. કારણ તેમની માતાનું નામ વિતદિન એવું પણ મળે છે. (આયા. ૨.૧૭).' ભારતના પૂર્વભાગની વિદેહ નામની જાતિ બ્રાહ્મણકાળથી પ્રસિદ્ધિમાં આવી છે. ઉપનિષદમાં વિદેહજાતિના જનક રાજા પ્રસિદ્ધ છે. મહાભારતમાં વિદેહરાજા જનકની રાજધાની મિથિલા જણાવી છે. વિદેહજાતિમાં અનેક પત્ની કરવાનો રિવાજ હતા એમ જણાય છે. એથી બનારસના રાજાએ પોતાની પુત્રીને વિદેહના કુમારને આપવાનું ટાળ્યું હતું. સીતા વિદેહની હોવાથી વૈદેહી કહેવાઈ તેમ ત્રિશલા પણ વિદેહે ઈત્યાદિ નામોથી ઓળખાઈ હતી.
ભ. મહાવીરનું એક વિશેષણ વેસલિએ' (આચા. ૧.૨.૩.૨૩ ઉત્તરા. અ. દિને અંત) એવું પણ મળે છે તે તેમના નગર વૈશાલીને આધારે છે. 9. Law, Some Kshatriya, p. 126 ff
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org