________________
મહાવીરચરિત મીમાંસા
વળી ભગવતીમાં સ્વયં ભગવાન મહાવીરે દેવાનંદાને પિતાની માતા જણાવી છે અને પિતાને તેના આત્મજ કહ્યા છે. અને ગૌતમને તે પ્રસંગે ત્રિશલા વિષે કશે પ્રશ્ન થતો નથી. એ જોતાં આચારાંગમાં તેમને જે “મા” કહ્યા છે, તે ઉચિત જણાય છે. જ્યારથી તેમના ગર્ભપરિવર્તનની વાત દાખલ થઈ ત્યાર પછી જ તેમને “ખરિય” તરીકે વર્ણવવાનું પ્રચલિત થયું એમ માની શકાય છે.
ભ. મહાવીરના કુળનો વિચાર બીજી રીતે પણ કરી શકાય તેમ છે. તેમને જે વારંવાર “માહણ” કહેવામાં આવ્યા છે તે તેમના બ્રાહ્મણકુળમાં જન્મને કારણે નહિ પરંતુ ગુણને કારણે પણ હોય. બૌદ્ધ અને જૈન બંનેએ બ્રાહ્મણને શ્રેષ્ઠ માન્યા છે પણ તે જન્મથી નહિ પણ ગુણથી. અને બંનેને મતે ભિક્ષના ગુણો ધરાવનાર કઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ કહી શકાય છે. આ રીતે જે શાસ્ત્રકારે ગુણવાન ભિલું હાઈ ભ. મહાવીરને “માહણ કહ્યા હોય તે તે પણ અસંભવ નથી. એટલે કે સા ભિક્ષુ સાચે બ્રાહ્મણ છે એ ન્યાયે ભ. મહાવીર બ્રાહ્મણ મનાયા હોય તે પણ સંભવિત છે.
હવે “ના” એ કુળ છે તે વિષે જૈન આગમ અને તેની ટીકાઓમાં તથા અન્યત્ર માહિતી જે મળે છે તે જોઈએ. એટલું તે ચોકકસ છે કે “જ્ઞા' કુળ એ બહુ પ્રસિદ્ધ કુળ હતું નહીં. વૈદિક કે જૈન પુરાણોમાં જે કુળો કે વશેની પ્રારંભિક ચર્ચા છે તેમાં તેને સ્થાન મળ્યું નથી અને પાછળથી કળચર્ચામાં સ્થાન મળ્યું છે તે ભગવાન મહાવીર સાથે “જ્ઞાતૃ સંબધ થયો તેથી જ તેમ બન્યું છે એમ માની શકાય.
આવશ્યકનિયુક્તિમાં ગાથા છે– २ उग्गा भेगा राइ खत्तिया सगा भवे चतुध ।
आश्व गुरु क्यमा संसा जे खत्तिया ते तु ॥ १९३ ॥ આનું તાત્પર્ય એવું છે કે ભાઋષભદેવના સમયમાં તેમણે જેને સંધર્યા તે આ ચાર હતા -ઉગ્ર, ભગ, રાજન્ય અને ક્ષત્રિય. રક્ષકે હતા તે ઉગ્ર, ગુરુસ્થાનીય હતા તે ભેગ , વયો–સાથીઓ-મિત્ર-સમવયસ્ક હતા તે રાજ ગણુયા ૧ ભગવતી ૯.૩૩.૩૮૧–“રેવાશંઢા માળી મા ! વારંવા
माहणीए अत्तए" ૨ આ. મલય માં આ ગાથા નં. ૧૯૮ છે. હરિભદ્રમાં ૨૦૨. વિશેષા. ૧૬ ૦૪;
વળી જુઓ, આનિ. ૨૦૫; વિશેષા ૧૬૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org