________________
ભ. મહાવીરનું કુળ
પાલિગ્રન્થોમાં ભ. મહાવીરને ‘નિક નાતપુર” અથવા “નિટ નાથપુર” કહ્યા છે. શ્રી મલાલશેખરે “ના” અથવા “નાથ” એ કુળનું નામ છે એમ જણાવ્યું છે-પાલિપ્રોપરનેસ-ભાગ ૨, પૃ.૬૪. પણ સાથે જ તેમણે નેંધ્યું છે કે સંયુક્ત નિકાયની ટીકામાં “ના” એ ભગવાન મહાવીરના પિતાનું નામ હતું તેમ જણાવ્યું છે. તે કળ બ્રાહ્મણ કે ક્ષત્રિયનું તે વિષે પાલિમાં કશી જ માહિતી નથી. ભગવાન મહાવીરને જૈન આગમમાં પણ નાયપુત્ત” “ના સુય” આદિરૂપે ઓળખાવ્યા છે. પ્રાચીન આગમ આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધમાં “નાયપુર” (૯.૧.૨૦) નાયડુ (૯.૧.૧૦) નાયપુત્ત (૮.૮.૧૨), અને મૂત્રકૃતાંગમાં 'ના પુત્તે મહાવીરે (૧.૧.૧.૨૭; ૧.૨..૨૨) “નામુઘ' (૧.૬.૨), “સમાના પુત્ત (૧.૬.૧૪, ૨૩), “નાથપુ” (૧.૬.૨૧,૨૪) ભગવાન મહાવીર વિષે વિશેષણો વપરાયાં છે. પરંતુ તેમાં “નાય” એ અંશ પિતાવાચક છે કે કુળવાચક એ નક્કી થઈ શકતું નથી. આ સ્પષ્ટીકરણ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાંથી ગર્ભાપહરણના પ્રસંગે મળી રહે છે– ત્યાં સૂત્ર छ , “नायाण खत्तियाण मिद्धत्यस्स खत्यिस्स कासवगुत्तम्स तिसलाए खत्तियाणाए વારતા ” . ૧૭૬. આથી એ સ્પષ્ટ થાય છે કે અચળાંગને મને “ના” એ કુળવાચક શબદ છે અને તે ક્ષત્રિયોનું કુળ છે. આ જ સ્પષ્ટીકરણ કલ્પસૂત્રમાં પણ મળે છે. (સૂત્ર ૨૦).
પરંતુ ભગવાન મહાવીરને વિષે પ્રાચીનતમ મનાતા આચારાંગમાં “IT” વિશેષણ વપરાયું છે તે સૂચક છે. જૈન આગમ પ્રમાણે પણ ભ. મહાવીર તેમના ગર્ભપરિવર્તન પહેલાં બ્રાહ્મણી દેવાનંદાની કૂખમાં આવ્યા હતા અને પિતાનું નામ બ્રાહ્મણ ઋષભદત્ત આચારાંગ અને કલ્પસૂત્ર બને જણાવે છે. ગર્ભપરિવર્તન છતાં બીજ સિદ્ધાર્થનું નહિ પણ ઋષભદત્તનું જ છે તેથી તેમને આચારાંગમાં “માહણ' કહ્યા છે તે યથાર્થ જણાય છે. આચારાંગ પ્રથમ શ્રતસ્કંધના નવમાં અધ્યયનના ચારેય ઉદેશને અંતે એકસમાન જે ગાથા આવે છે તે આ છે
“इस विही-अणुकान्तो माहणेण ईमया, વણે મવસરળ મraq ga ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org