________________
પૃભવા
ત્રિપૃષાસુદેવ :
વિશ્વભૂતિ મરીને મહાક્રમાં દેવભવ પૂરા કરી પોતનપુરમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ અને છે તેની કથા આવશ્યકનિયુ`ક્તિમાં નથી. માત્ર નગરી–માતા-પિતાનાં નામા અને તે પ્રથમ દસાર (વાસુદેવ) છે તેનું સૂચન છે. (આ નિ૦ ૩૨૯-૩૩૦; વિ॰ ૧૭૯પ-૧૭૯૬). પરંતુ આવશ્યકચૂર્ણિમાં તેની કથા આપવામાં આવી છે. તેને સાર આ પ્રમાણે છે.
૧પોતનપુરમાં પ્રજાપતિની પત્ની, મૃગાવતીની કાખથી તે પેદા થયા. પ્રશ્ન કરવામાં આવ્યા છે કે ભગવત પ્રજાપતિ નામનું શું રહસ્ય છે ? તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે મૂળ નામ તે રિપુપ્રતિશત્રુ હતુ. અને તેની પત્ની ભદ્રાદેવી હતી. અને તે ભદ્રાને પુત્ર અચલ નામે હતેા. અને પુત્રી મૃગાવતી નામે હતી, જેનું રૂપલાવણ્ય અનેખું હતું. યૌવનમાં આવેલી તે મૃગાવતી પુત્રી પિતૃચરણમાં વંદન કરવા ગઈ. પિતાએ તેને ખેાળામાં બેસાડી અને તેનાં રૂપ-લાવણ્ય અને યૌવનના સ્પર્શથી પિતા માહ પામ્યા. તેણીને તે કાળે વિદાય કરી નગરજનોને ખેલાવ્યા અને પ્રશ્ન કર્યાં કે અહી` રત્ન પેદા થાય તે કેનુ ? તેઓએ ઉત્તર આપ્યા. ‘તમારું’–આમ ત્રણ વાર પૂછ્યું અને ઉત્તર એ જ મળ્યો. એટલે તેણે પુત્રીને સૌની સામે ઉપસ્થિત કરી. આથી તે સૌ લજ્જાથી બહાર ચાલ્યા ગયા અને ચિલ્લાતા રહ્યા. અને રાજાએ તે પોતાની પુત્રી મૃગાવતી સાથે ગાંધવ વિવાહ કર્યા અને પાતાની ભાર્યા બનાવી. આ જોઈ ને ભદ્રા તા પોતાના પુત્ર અચલને લઈ ને દક્ષિણાથમાં માહેશ્વરી નગરી સ્થાપીને ત્યાં રહી. પુત્ર ગ઼લ માતાને ત્યાં મૂકી પિતા પાસે પાછા ફર્યાં. આથી લોકોએ તેનું નામ પ્રજાપતિ પાડ્યુ કારણ પોતાની પ્રજા–સંતતિના પતિ બન્યા. વેદમાં પણ કહ્યું છે કે—પ્રજાપતિએ પોતાની પુત્રીની કામના કરી.' એટલે રિપુપ્રતિશત્રુ રાજા પણ પ્રજાપતિને નામે પ્રખ્યાત થયા. અને—એ પ્રજાપતિની રાણી મૃગાવતીની કાખે જ્યારે વિશ્વભૂતિને જીવ મહાશુક્રમાંથી વ્યુત થઈ આવ્યા ત્યારે સાત સ્વપ્ન તેણીએ જોયાં. તેનું ફળ જોશીએ તે વાસુદેવ થશે એમ ભાખ્યુ. તે જ્યારે જન્મ્યા ત્યારે તેને ત્રણ પૃષ્ઠકર ડકર હતા તેથી તેનુ` નામ ત્રિપૃષ્ઠ પાડયું. માતાએ તેનું ગરમ તેલથી માલિશ કર્યુ. અને તે યૌવનને પ્રાપ્ત થયેા.
૪૧
૧. ‘મહાવીરચરિય’પ્રસ્તાવ તીજો પૃ૦ ૪૧માં આ કથા છે.
૨. ઉ૦ (પૃ૦ ૯૫)માં ‘વસતિય’—છે. પૃષ્ઠકર ડકના અથ પીઠમાં' ખૂધ' એમ થાય. મહાવીરચરિયમાં–‘તિવિરહšર્૰’ છે–પૃ૦ ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org