________________
४०
મહાવીરચરિત મીમાંસા
આ કથામાં કપિલનું નામ આવતું જ હતું. તેથી તેની સાથે આસુરીનો સંબંધ જોડી તેના દર્શનને સાંખ્ય પરંપરા સાથે જોડી દેવાને આ પ્રયત્ન છે.
આપણે જાણીએ છીએ કે સાંખ્ય પરંપરામાં મૂળ પુરુષ કપિલ મનાયા છે અને તેમણે આસુરીને સાંખ્યવિદ્યા આપી છે. આસુરીએ પંચશિખને આપી અને પછી કમે પછિતત્રની રચના થઈ છે (સાંખ્યકારિકા ૭૦–૭૨). જૈન દર્શન અને સાંખ્યદર્શનની ઘણી બાબત એવી છે જે સમાનતા ધરાવે છે. તે બાબતમાં ડા. જેકોબી જેવા વિદ્વાનોએ લખ્યું પણ છે. એથી અહીં એ બાબતમાં વિશેષ નિરૂપણ જરૂરી નથી. પણ મરીચિની પરંપરાને સાંખ્ય સાથે જોડવામાં જેન–સાંખ્ય એ બન્નેની સમાન ભૂમિકા પણ એક કારણ હોય એમ કહીએ તો અસંગત નહીં ગણાય. પ્રત્યેક પરિવ્રાજકના ભવ પછી મરીચિ સ્વર્ગમાં ક્રમે ઊંચા ને ઊંચા દેવલોકોમાં જાય છે તે પણ સૂચક છે અને તેમાંથી સૂચના એવી માન્યતાની મળે છે કે ત્યાગ અને તપસ્યાનું ફળ દેવલેક છે. તે જૈન પરિભાષા પ્રમાણે શિથિલાચારી હતા છતાં ગૃહત્યાગી તો હતો જ અને ગૃહત્યાગનું ફળ નરક કે તિયચના ભવો તે હોય નહિ પણ ઉત્તરોત્તર ઊંચાં ને ઊંચાં સ્વર્ગો જ હોય. છતાં પણ પ્રાચીન દાખવેલ આ ઉદારતા પછીના જેન આચાર્યોથી સહન થઈ નથી. તેથી તેમાં તિ"ચ આદિના ભવો દાખલ ક્યારેક કર્યા હોય તેમ જણાય છે. આને પરિણામે જ તે ભવો ક્યાં ગોઠવવા તેમાં એકમતિ નથી દેખાતી. એ સૂચવે છે કે તે ભ મૌલિક વિચારણામાં હતા નહિ, પરંતુ માત્ર દેવભ જ મૌલિક હતા.
વિશ્વભૂતિ-નિદાનનું દુષ્પરિણામ
આવશ્યકનિયુક્તિમાં પરિવ્રાજકના ભવ પછીની વિશ્વભૂતિની કથાનાં પાત્રો, દીક્ષા અને નિદાન પ્રસંગ–એની માત્ર સૂચના છે. પૂરી કથા તે આવશ્યકચૂર્ણિમાં આપવામાં આવી છે. પરિવ્રાજકના ભવો પછી ફરી તે સુમાગે આવે છે અને જૈન દીક્ષા અંગીકાર કરે છે તેથી આ ભવનું મહત્ત્વ છે. પરંતુ નિદાન કરે છે અને તેને કારણે પરાક્રમી એવા વાસુદેવના ભવને પામવા છતાં તેનું પરિણામ તો નરક જ છે. આમ આ ભવનું નિરૂપણ એ સિદ્ધ કરવા માટે છે કે સાધનાનું ધ્યેય ચૂકીને બીજી કઈ આકાંક્ષા કરવાથી પતનને માર્ગ જ ઊઘડે છે અને ક્ષમાર્ગનો અવરોધ ઊભો થાય છે. જેની પરિભાષામાં જેને નિદાન કહેવામાં આવે છે
9. Jain Studies, Part-I P. 53. ૨. મહાવીરચરિય, ત્રીજા પ્રસ્તાવમાં કાવ્યમયચરિત આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org