SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવ તેને સો અર્થ છે–પોતે કરેલી સાધનાનું જે સ્વાભાવિક પ્રોજન હોય તે છોડીને પિતાની તપસ્યા અને કઠોર સાધનાનું સંસારવર્ધક ફળ ચાહવું તે. સાધનાને પ્રતાપે તે મળે તો ખરું જ પણ તેથી આત્માનું પતન જ થાય. વૈદિક પુરાણોમાં તાપસે અને ત્યાગી સંન્યાસીઓ પિતાની તપસ્યાને બળે જે શાપ—અને પ્રસાદ આપે છે તેને મળતી આ પ્રક્રિયા છે. તાત્પર્ય એટલું જ કે સાધના મોક્ષ માટે છે તે તેની જ આકાંક્ષા સેવવી અને બીજી બધી આકાંક્ષાને ત્યાગ કરવો. આમ ન બને તો વિશ્વભૂતિ જેમ પરિણામે નરકનાં કષ્ટો ભોગવવાનું આવે માટે નિદાનને ત્યાગ કરવો. વિશ્વભૂતિને રેચક કથા જે આવશ્યકચૂણિ (પૃ. ૨૩૦)માં આપવામાં આવી છે તેને સાર આ પ્રમાણે છે – રાજગૃહનગરમાં રાજા વિશ્વનંદી હતો. તેના પુત્રનું નામ વિશાખનંદી હતું. રાજાને ભાઈ વિશા ખભૂતિ યુવરાજનું પદ ભોગવતો હતો. તેની પત્ની ધારિણીને વિશ્વભૂતિ નામે પુત્ર હતો. નગરમાં પકડક નામે ઉદ્યાનમાં વિશ્વભૂતિ પિતાના અંત: પુરની રાણીઓ સાથે સ્વરદે વિચરતા. તેથી વિશાખનંદીને તેને લાભ મળતો નહિ. રોજ વિશ્વનદીની પત્નીની દાસીઓ તે ઉદ્યાનમાંથી પુષ્પ વગેરે લાવી આપતી અને વિભૂતિની કીડાઓને જોતી અને એ અવસર રાજપુત્ર વિશાખનંદીને મળતો નહિ તેથી તેણે ઈવશ થઈ. રાણીજી કાન ભંભેર્યા. એટલે રાણી કોપભવનમાં બેઠા અને વિચારવા લાગી કે રાજા જીવતાં છતાં મારા પુત્ર વિશાખનંદને ફિઘાનમાં જવાનો અવસર પણ ન મળે તો તેમના મર્યા પછી તો શી વલે થાય ? રાનએ ઘણી મનાવી પણ માની નહિ અને કહેવા લાગી કે મારે તમારું કે રાજ્યનું પણ કામ નથી. મારા પુત્રની દશા તો દાસ જેવી છે. મંત્રીએ પણ સમજાવી પણ કશું વળ્યું નહિ. મંત્રીએ રાજાને કહ્યું કે આપણા વંશની નીતિ પ્રમાણે જયાં સુધી ઉદાનમાં તે કીડા કરતો હોય ત્યાં સુધી બીજો તે ત્યાં જઈ શકે નહિ. માટે તેને કાઢવાને કે ઉપાય વિચારો ઘટે અને ઉપાય એવા કર્યા કે વિશ્વનંદી રાજા પાસે અત્યંત રાજાનો એક દૂત બોટો પત્ર લઈને આવ્યો કે તે ચડાઈ કરી રહ્યો છે. એટલે વિશવનદીએ તે યુદ્ધયાત્રાની તૈયારી કરી. આ સાંભળી કુમાર વિશ્વભૂતિએ વિશ્વનંદીને કહ્યું. કે મારા જીવતાં તમે લડાઈમાં શા માટે જાવ ? આમ કહી તે જ લડાઈ કરવા નીકળે છે. અને ૧. “મહાવીરચરિ-પ્રસ્તાવ ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy