SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ મહાવીરચરિત મીમાંસા ૧૧. થાવર પરિવ્રાજક ૧૪. મહાશુકદેવ ૧૨. બ્રહ્મલેક દેવ ૧૫. ત્રિપૃષ્ઠ ૧૩. વિસ્મભૂતિ (જૈન દીક્ષા) ૧૬. અપ્રતિષ્ઠાન નરક સાતમી આટલા ભવો આપ્યા પછી શીલાંક કહે છે કે “અમો ૩ વમળતિથચરવરિયાદિરે હિસ્સામો – પૃ. ૧૦૩. પણ ભ. મહાવીરના ચરિતમાં શીલાંકે માત્ર એટલું જ જણાવ્યું છે કે મરીચિનો જીવ અનેક ભાવો કરીને પુષ્પોત્તર વિમાનમાંથી દેવાનંદાના ગર્ભમાં આવ્યો–(પૃ. ૨૭૦). એટલે ત્રિપૃષ્ઠ પછીના ભાવો કર્યા હતા તે વિષેની કશી માહિતી શીલાંકના ભ. મહાવીર ચરિતમાં મળતી નથી. વળી મરીચિસહિત છ પરિવ્રાજકના ભવો છે તે પણ નોંધપાત્ર છે જ્યારે અન્યત્ર મરીચિ સિવાયના છ પરિવ્રાજકભ છે. આચાર્ય ગુણચન્દ્રના મહાવીરચરિયમાં દ્વિતીય પ્રસ્તાવ મરીચિ વિષે છે. પરિવ્રાજકભવે છે : મરીચિ પછીના ભ. મહાવીરના ભ વિષેની આ નોંધ પછી હવે તે ભવમાં જે મહત્ત્વના છે એટલે કે જેને વિષે ગ્રન્થકારોએ કથાઓ આપી છે તે કથાઓની પણ ચર્ચા અહીં કરવી પ્રાપ્ત છે. મરીચિ પછીના મનુષ્યભવમાં તે છ ભવમાં પરિવ્રાજક બને છે-(આ. નિ. ૩ર૬; વિશેષા. ૧૭૯ર) એટલે કે પિતાની મિાદષ્ટિ તે મનુષ્યના છ ભ સુધી કાયમ રાખે છે–આ બાબતમાં આ નિવ અને ગુણભદનું ઉત્તરપુરણ 9૪.૬૦-૮૫) એકમત છે અને ગુણચન્દ્ર પણ તેમ જ કહે છે (મહાવીર ચરિયર-ર૬). તે સૂચવે છે કે તેઓએ એકસરખી પરંપરાની નેંધ લીધી છે. એટલે કે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી પણ જીવને કુમાર્ગે જવાનો ઘણે જ સંભવ છે. માટે એવા કુમાગે ન ચડી જવાય તેની તકેદારી સાધકે રાખવી જરૂરી છે અને પ્રાંત શ્રદ્ધાને ટકાવી રાખવા ભગીરથ પ્રયત્ન કરવો આવશ્યક થઈ પડે છે અન્યથા હાથ આવેલ શ્રદ્ધા રત્ન મરીચિની જેમ હારી જવાય છે, આ છએ પરિવ્રાજભવો અને મરીચિને પરિવ્રાજકભવ એમાં નિગ્રંથ સંપ્રદાયથી વિરુદ્ધ શી વાત હતી તે જોઈએ તો પ્રથમ ભૂમિકામાં તો માત્ર આચાર વિષે જ ભેદ જણાય છે અને આચારની શિથિલતાને કારણે-દિગંબર નહિ પણ વસ્ત્ર અને બીજા ઉપકરણોને કારણે જ મરીચિને પરિવ્રાજક સંપ્રદાયનો પ્રવર્તક ગણે છે. તેમાં તાત્ત્વિક માન્યતાની બાબતમાં શો ભેદ હતો તે વિષે નિયુક્તિમાં ૧. આ નિ. ૨૭૭–૨૮૬. ઉત્તરપુરાણ. ૭૪.૫1-9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy