________________
પૂર્વ
૩૧
તું ધર્મચક્રવતીઓમાં છેલ્લે વીર નામે તીર્થકર થવાનો છે. વળી પિતનાધિપતિ થઈ તું વાસુદેવમાં પ્રથમ વાસુદેવ થશે, અને વળી મૂકાનગરીમાં વિદેહમાં તું પ્રિય મિત્ર નામનો ચક્રવતી પણ થશે. હું તારા અત્યારના પરિવ્રાજક ભાવને નમસ્કાર નથી કરતો પણ તું છેલ્લો તીર્થકર થવાનો છું તે માટે નમસ્કાર કરું છું–આમ કહીને રાજા ભરત તે અયોધ્યા નગરીમાં ચાલ્યો ગયો. ભરતનાં આવાં વચન સાંભળીને મરીચિ તો અત્યંત હર્ષમાં આવી ગયો અને ત્રણ વાર પગ પછાડી બોલ્યો – હું પ્રથમ વાસુદેવ, વળી ચક્રવતી અને છેલ્લે તીર્થકર થવાનો છું–તો તે મેં આ ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. આથી વિશેષની મારે કશી અભિલાષા નથી. તેનું અભિમાન જાગ્યું અને વિચારવા લાગ્યો કે વાસુદેવામાં પ્રથમ હું, ચક્રવતીઓમાં પ્રથમ મારા પિતા અને તીર્થકરોમાં પ્રથમ મારા પિતામહ–અહાહા, મારું કુલ ઉત્તમ છે !
એકવાર એવું બન્યું કે તે માં પડ્યો. અન્ય સાધુઓનો તેની ચાકરી કરી નહિ અને કપિલે કરી. કપિલે તેને કહ્યું કે તમે ધર્મની વાત આવે છે ત્યાં ઋષભદેવે પ્રરૂપેલ ધર્મની જ વાત કરો છો અને સૌને તેમની પાસે જ દીક્ષા લેવા મોકલે છે. શું ત્યાં જ ધર્મ છે અને તમારામાં નથી ? આ સાંભળી તે વિચારમાં પડી ગયો અને સહસા કહી દીધું કે અહીં પણ ધર્મ છે. અર્થાત્ તું મારી પાસે પણ દીક્ષા લઈ ધર્મમાગમાં જ ચાલે છે એમ માન આ સાંભળી કપિલે મરીચિ પાસે દીક્ષા લીધી.” અને તેથી તેની પરિવ્રાજક અરપરા ચાલી. આમ તેના ભાગમાં ધર્મ ન હોવા છતાં તેણે આ એક જ દુર્વચન કર્યું તેના પરિણામ સ્વરૂપ તે દુઃખસાગરમાં પડ્યો અને ક્રોડાકોડી સાગરોપમ એટલે કાળ સંસારમાં ભયે અને ત્રણ વાર પગ પછાડી જે કુળનું અભિમાને કર્યું હતું તેને કારણે તેણે નીચ ગોત્ર બાંધ્યું.* તેણે આ દેશ માટે પાશ્ચાત્તાપ કર્યો નહિ અને તેથી તેણે સંસાર વધાર્યો તે આ પ્રમાણે--
૧. આ. નિ. ૩૦૭-૧૫, વિ. 199૧–૧૭૭૯, આ.નિ.હ. ૨૫-૪૩૨. ૨. મહાવીરચરિય પૃ. ૨૧ ૩. આ નિ. ૩૨૦, વિ.૧૭૮૬; આ૦ નિ હ૦ ૪૩૭ મહાવીરચરિય
“ વિ Ti –પૃ૦ ૨૨ ૨. ૪. આ નિ. ૩૨૧-૩૨૨, વિ. ૧૭૮૭. ૧૭૮૮, આ૦ નિ હ૦ ૪૩૮
૩૯; મહાવીરચરિય ૨. ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org