SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવ ૨૭* વ્યાખ્યામાં આ. જિનભદ્ર સ્પષ્ટીકરણ કર્યું છે કે તે અપરવિદેહમાં ગ્રામચિંતકહતા. સાધુઓને માર્ગ બતાવ્યા ઉપરાંત અનુકંપા કરી દાન પણ કર્યું અને સૌધર્મ દેવમાં જઈ પછી મરીચિ થયા. આવશ્યકચૂર્ણિમાં પણ આ પ્રસંગે કેઈ નવી હકીક્ત ઉમેરવામાં આવી નથી. માત્ર કથાપ્રસંગ જરા વિસ્તારથી આપ્યો છે અને ઉમેર્યું છે કે તે સાધુઓમાં એક ધર્મકથા કરવામાં લબ્ધિસંપન્ન સાધુ હતા તેમણે ઉપદેશ આપે અને તે ગ્રામચિંતકને સંવેગ ભાવ પ્રાપ્ત થયો અને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. આમ કહી શકાય કે તત્ત્વાર્થમાં જે આસ્તિકળ્યાદિ લક્ષણો સમ્યકત્વનાં જણાવ્યાં છે તેમાંથી અનુકંપા અને સંવેગનું પ્રાબલ્ય આ ગ્રામચિંતકના ભવમાં ભ. મહાવીરને હતું. અને તેમણે સંસારથી વિમુખ થઈમેક્ષાભિમુખ થવાની દૃષ્ટિ પ્રાપ્ત કરી. ભગવાન મહાવીરે અટવીમાં માર્ગ ભૂલેલા એ મણોને માર્ગે ચડાવ્યા તે ઘટના અને ભગવાન ગૌતમબુદ્ધ પૂર્વભવમાં જ્યારે સુમેધ પંડિત હતા ત્યારે તેમણે દીપંકર બુદ્ધ માટે માર્ગ તૈયાર કર્યો અને દીપકરે તેના વિષે ભવિષ્યવાણી કરી૪. તે બનેમાં “ભાગની ઘટના સામાન્ય છે. તે આકસ્મિક ન પણ હોય. બનેમાં બાહ્ય માર્ગમાં સહાયક થવાને બદલે આંતરિક શુદ્ધિના ભાગરૂપે મળે છે તે પણ સમાનતા ધ્યાનમાં લેવા જેવી છે. પરંતુ આ ઘટનાને ગુણભદ્ર બીજી જ રીતે વર્ણવી છે. ભ. મહાવીરના પૂર્વભવોના વર્ણનમાં તેમણે પ્રથમ ભવનું નામ પુરૂરવા આપ્યું છે. ગ્રામચિંતકને બદલે ભીલનો મુખી-વ્યાધાધિપ કહ્યો છે. તે જંગલમાં માર્ગ ભૂલેલ મુનિ સાગરસેનને મૃગ સમજી મારવા જતા હતા, ત્યાં તેની પત્નીએ તેને વાર્યો અને કહ્યું કે તે તે વદેવતા છે. તેથી તેમની પાસે જઈ શ્રદ્ધાથી તેમને ઉપદેશ સાંભળે. અને શ્રદ્ધાન્વિત થઈ મધુ આદિ ત્રણ વસ્તુ ન લેવાની પ્રતિજ્ઞા કરી. આમ એ તે સ્પષ્ટ છે કે પ્રથમ ભાવમાં અટવી અને માર્ગ ભૂલેલ મુનિનો સત્સંગ સમાન છે પણ શ્રદ્ધા ઉપરાંત થોડો ત્યાગ પણ તેના જીવનમાં નિરૂપે છે. આચાર્ય જિનભદ્ર વિદેહમાં આ વાત બની એમ જણાવ્યું છે તેનું પણ આમાં સમર્થન છે જ. પણ જિનભકે અપરવિદેહનો નિર્દેશ કર્યો છે જયારે ગુણભદ્ર પૂર્વ વિદેહને, જિનભકે નામ નથી આપ્યું. ગુણભદ્ર પુરૂરવા આપ્યું છેઉત્તર પુરાણ 9૪. ૧૪–૨૨. ૧. વિ. ૧૫૪૮, ૧૫૯; આ૦ ચૂ૦ પૃ૦ ૧૨૮ ૨. આ૦ ચૂ૦ પૃ. ૧૨૮ ૩. જાતકકથા, સુમેધકથા, પૃ. ૧૦ (જ્ઞાનપીઠ) ૪. એજન, પૃ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy