SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા વફાદાર રહેવા છતાં પિતાની રીતે રજૂઆત કરવાની છૂટ લીધી છે. તેથી નિશ્ચિતપણે કહી શકાય છે કે ભ, મહાવીર ચરિતમાં પૂર્વભવો નિરૂપવાની પરંપરા મેડી શરૂ થઈ છે. પ્રાચીન કાળમાં તે હતી નહિ. તેનું સૌથી જૂનું સૂચન આવશ્યકનિયુક્તિમાં છે. આવશ્યકનિયુક્તિનાં પણ અનેક સંસ્કરણો થયાં છે. તેના પ્રાચીનતમ સંસ્કરણ-મૂલાચારમાં તે વિષે કશું સૂચન નથી. આત્મોન્નતિની સાધનામાં દષ્ટિલાભ કે બોધિલાભ અને જેનપરિભાષામાં સમ્યકત્વની પ્રાપ્તિ એ ઉન્નતિનું પ્રથમ પગલું છે. આચારાંગ કે કલ્પસૂત્રમાં એ દછિલાભ ભ. મહાવીરને ક્યારે થયો તેની કેઈ સુચના નથી. પરંતુ સર્વપ્રથમ એ બાબતનો ઉલ્લેખ આવશ્યકનિયુંક્તિમાં મળે છે. અનાદિકાળથી જીવ સંસારમાં ભટકતે હોય છે પણ એ સમ્યકત્વની પ્રાપ્તિ તેનામાં સંસારની અભિમુખતાને બદલે જીવને મેક્ષાભિમુખ બનાવે છે. એ પહેલાં એની દષ્ટિમાં માત્ર સાંસારિક સુખ એ જ પરમ સુખ હોય છે અને તેથી તે તેની પ્રાપ્તિમાં તત્પર હોઈ સંસારને વધારવાની જ પ્રવૃત્તિ કરતો હોય છે. દષ્ટિલાભ થયા પછી ભલેને તેને સંસારસુખ ગમતાં હોય પણ તેની ડી સમજનો ફેર તેની દષ્ટિને નવી દિશા આપે છે. સંસારના સુખ કરતાં પણ અન્ય આંતરિક સુખ પ્રત્યે અભિરુચિ પિદા કરે છે. આથી સંસાર પ્રત્યેના તેના વલણમાં ફેર પડે છે. તે તેના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિને શરીરસુખ નહિ પણ આત્મસુખની દષ્ટિએ મૂલવે છે. આથી એ આત્મ-અનામ વિવેક તેને મોક્ષ કે નિર્વાણના માર્ગને પથિક બનાવે છે. દષ્ટ્રિલોભ કેટલાકને આત્મસૂઝ કે સાંસારિક પ્રવૃત્તિમાં કોઈ ઠોકરને કારણે. પ્રાપ્ત થાય છે, જ્યારે કેટલાકને સત્સંગથી એટલે કે સંતપુરુષના ઉપદેશથી. ભગવાન મહાવીરને દખિલાભ સત્સંગથી પ્રાપ્ત થશે તેમ આવશ્યકનિયુક્તિને આધારે કહી શકાય. અટવીમાં ભૂલા પડેલા સાધુ-સંતોને તેમણે માર્ગ બતાવ્યો અને બદલામાં તેમને મોક્ષને માર્ગ મળે. એટલે કે સાધુસંતોએ ભ, મહાવીરને ઉપદેશ આપે, અને તેમને મોક્ષમાર્ગની દષ્ટિ મળી. અને પછી ઈવાકુ કુળમાં ભરતસુત મરીચિ થયા. આવશ્યકનિયુક્તિમાં આ દૃષ્ટિલાભ સમયે પૂર્વ ભવમાં તેમનું નામ શું હતું કે તે ક્યાંના નિવાસી હતા તે કશું જ જણાવ્યું નથી. આ નિની ૧. વર મિત્તા સાધૂ, પ્રવિવિવઢાળ સત્તવઢમાં વર્ષો વરમાળt || મારા નિ. ૧૪૧, વિ. ૧૫૪૭ | ૨. 1૦ વિ૦ ૧૪૨, વિ. ૧૫૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy