SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવો તે આવો પ્રયત્ન એ પ્રાથમિક ફરજ થઈ પડે છે. અને બુદ્ધ હોય કે મહાવીર, તેમણે પ્રથમ પિતાનું ઉત્થાન કરવું જરૂરી છે. તે થયા પછી જ જગદુસ્થાનને કે જગતના જીવોને ઉદ્ધારનો માર્ગ તેઓ બતાવી શકે છે. એ માર્ગની શોધ પ્રથમ અનેક પ્રકારનાં તપસ્યા આદિ સાધનો દ્વારા કરવી પડે છે. અને પછી એ જ બીજાને માટે તેઓ માર્ગદર્શક બની શકે છે. આથી આપણે જોઈએ છીએ કે બુદ્ધ હોય કે મહાવીર તેમના જીવનમાં સાધનાકાળનું આગવું મહત્ત્વ છે. આવું કોઈ મહત્ત્વ સાધનાને અવતારી પુરુષના જીવનમાં દેખાતું નથી. તેઓ તો પ્રારંભથી મુકત અને નિર્વાણને પ્રાપ્ત છે જ. એટલે તેમને સાધનાનું કઈ પ્રજન પણ નથી. ભગવાન મહાવીરના પૂર્વભવો અનાદિકાળથી અનંત થયા હશે. પરંતુ જ્યારથી તેઓએ સંસારથી વિમુખ થવાની દૃષ્ટિ પ્રાપ્ત કરી ત્યારથી તેમના પૂર્વભ મહત્વના ગણાય. આથી ભગવાન મહાવીરના જીવનના નિરૂપણમાં પૂર્વભવોનું નિરૂપણ જયારથી શરૂ થયું છે ત્યારથી તેમણે જે ભવમાં દષ્ટિ પ્રાપ્ત કરી તે ભવથી જ તેમના પૂર્વભવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આચ રાંગ અને કલ્પસૂત્રમાં તો માત્ર પૂર્વ દેવભવમાંથી ચુત થઈને છેલ્લા મનુષ્યભવમાં જન્મ ધારણ કર્યો એટલી જ સૂચના છે. તે દેવપૂર્વના કોઈ પૂર્વભવ વિષે કશી જાણકારી આપવામાં આવી નથી. પરંતુ તે વિષેની માહિતી પછીના ગ્રન્થમાં મળે છે. તે આપણે હવે જે એ. અહીં એ પણ સેંધવું જરૂરી છે કે ભગવાન મહાવીર ચરિત્ર સ્વતંત્ર રીતે લખાયું હતું તેનો આભાસ આચારાંગ આપે છે. પણ પછીના કોળે જ્યારે કાળચક્રની વ્યવસ્થામાં ૨૪ તીર્થકરો ગોઠવાયા ત્યારે તેના એક ભાગરૂપે તેમનું ચરિત્ર લખાયું – તેમના ચરિતની બીજી ભૂમિકા છે. અને તે આપણને કલ્પસૂત્રમાં અને અન્યત્ર મળે છે. પરંતુ તીજી ભૂમિકામાં તો કાષભપૌત્ર મરીચિને સંબંધ ચક્રવતી_વાસુદેવની કલ્પના સાથે જોડી મહાવીર સાથે જોડવામાં આવ્યું તે આવશ્યકનિયુકિત આદિમાં જોવા મળે છે. આમ ત્રણ ભૂમિકામાંથી પસાર થઈ ને પછીના ગ્રન્યકારોમાં મહાવીર ચરિત્ર આવ્યું છે. આ તીજી ભૂમિકામાં જ પૂર્વભવોની યેજના છે, તે યાદ રાખવું જરૂરી છે. પૂર્વભવોની સૂચીમાં પરિવર્તન–પરિવધન જેવાય છે. વળી પ્રાચીનતમ ગ્રન્થમાં તે વિશેનું કેઈ સૂચન નથી. પૂર્વભવોની કથાઓમાં પણ લેખકે પરંપરાને 1. એજન, કા૦ ૧૧, ૧૫-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy